ભરૂચ: દિવાળીના પર્વ પર 19 એમ્બ્યુલન્સ સાથે 85 કર્મચારીઓ ખડેપગે રહેશે તૈનાત

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે.જેને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડે પડે રહેનાર છે

New Update

દિવાળીના પર્વ પર 108 સેવાનું કાર્ય

19 એમ્બ્યુલન્સ સાથે 85 કર્મચારીઓ ખડેપગે રહેશે તૈનાત

લોકોનો જીવ બચાવવા કરશે પ્રયત્નો

તહેવારોના સમયમાં અકસ્માતની સંખ્યામાં થતો હોય છે વધારો

108 ઇમરજન્સી સેવાએ બનાવ્યો એક્સન પ્લાન

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે.જેને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડે પડે રહેનાર છે
દિવાળીના પર્વ દરમિયાન અનેક જિલ્લાઓમાં ઇમરજન્સી અને આરોગ્યના કેસોમાં વધારો જોવા મળતો હોય છે.ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં એક દિવસના આશરે 90 જેટલા કેસો નોંધાતા હોય છે જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ 100 જેટલા કેસો એટલે કે 11% જેટલા વધારો, નવા વર્ષના દિવસે 105 જેટલા કેસો એટલે કે 16%  જેટલો વધારો તથા ભાઈબીજના દિવસે  106 જેટલા કેસ એટલે કે 17% જેટલો કેસોમાં વધારો નોંધાય એવું અનુમાન કરવામાં આવ્યુ છે.જેથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે તહેવારોમાં 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડેપગે રહેશે
Read the Next Article

ભરૂચ : કોર્ટમાં પ્રેક્ટિસ કરતા મહિલા વકીલ પર વકીલ મિત્રએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની એ ડિવિઝન પોલીસ મથક નોંધાઇ ફરિયાદ !

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા

New Update
Screenshot_2025-08-13-07-57-15-01_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા ગામ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરની પાછળ રહેતા નિરલ ઠાકોરે ફરિયાદી મહિલા વકીલને આજથી 10 મહિના પહેલા 26/11/ 2024 ના રોજ facebook ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું જેને મેં એક્સેપ્ટ કર્યું હતું ત્યારબાદ અમે બંને વચ્ચે મિત્રતા કેળવાતા વકીલ નીરલ ઠાકોર ફરિયાદીના ઘરે જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ કરતો અને લગ્ન કરીશું તેવું વારંવાર વચનો આપ્યા પરંતુ આરોપી વકીલ નીરલ પટેલે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોય અને ફરિયાદી આધેડ મહિલા વકીલનું શારીરિક શોષણ કર્યું હોય તેવા આક્ષેપ સાથે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ નીરલ ઠાકોર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે