ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા

ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વાર ઉલ્લાસભેર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.અને આ પ્રસંગે તાજીયા ઝુલુસ યોજવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ જીલ્લામાં મોહરમ પર્વની ઉજવણી

  • ભરૂચ અને અંકલેશ્વરમાં નીકળ્યા તાજીયા જુલુસ

  • વરસતા વરસાદમાં પણ જોવા મળ્યો ઉત્સાહ

  • કલાત્મક તાજીયાનું નર્મદા નદીમાં કરાયું વિસર્જન

  • મુસ્લિમ સમાજે અધિકારીઓનું કર્યું સન્માન

ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વાર ઉલ્લાસભેર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.અને આ પ્રસંગે તાજીયા ઝુલુસ યોજવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી,અને આ પ્રસંગે વરસતા વરસાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ રંગો અને લાઇટિંગો સાથેના કલાત્મક તાજીયાના જુલુસ કાઢ્યા કાઢવામાં આવ્યા હતા.આ અવસર નિમિત્તે શહેર મુસ્લિમ સમાજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ સહિત પોલીસની ટીમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર  શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયાના જુલુસ  નીકળ્યા હતા.અને તાજીયાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે તાજીયા જુલુસ મોડી રાત્રે સંપન્ન કરાયું હતું. તાજીયા કમિટી દ્વારા તાજીયા જુલુસની યાત્રા સફળ બનાવવા બદલ મામલતદાર કરણસિંહ રાજપૂત,નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા સહિત પોલીસ અધિકારીઓએનું સન્માન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.