ભરૂચ:મહારાજા અગ્રસેનની 5148મી જન્મ જયંતિ નિમિત્તે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રા નિકળી

ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રસેન મહારાજાની 5148મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચ શહેરમાં મહારાજા અગ્રસેન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

અગ્રવાલ સમાજ દ્વારા આયોજન કરાયું

મહારાજા અગ્રસેનની જન્મજયંતિની ઉજવણી

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

5148મી જન્મજયંતિની કરાય ઉજવણી

ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રસેન મહારાજાની 5148મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચ શહેરમાં મહારાજા અગ્રસેન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં વસતા અગ્રવાલ સમાજના લોકો દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજાની 5148મી જયંતિ  સમારોહ નિમિત્તે ભરૂચમાં શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઝાડેશ્વર રોડ સ્થિત તુલસીધામ મહાદેવ મંદિરના પ્રાંગણથી કસક જલારામ મંદિર સુધી ડી.જે.બેન્ડ, બગી-રથ તેમજ ઢોલ-નગારાના તાલે અગ્રવાલ સમાજની મહિલાઓ પરંપરાગત પીળી સાડી તેમજ બાળકો અને યુવાઓ પણ પીળા રંગનો પોશાક ધારણ કરી “મહારાજા અગ્રસેન” શોભાયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે અગ્રવાલ સમાજના આગેવાનો, સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories