ભરૂચ  : નગરપાલિકાની સામાન્ય સભામાં સાયખા ડમ્પીંગ સાઇડ સરન્ડર કરવા સામે વિપક્ષનો વિરોધ

ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ  સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં નગરપાલિકાનાં સભાખંડ ખાતે મળી હતી.જેમાં વિવિધ વિભાગના 28 જેટલા વિકાસ કાર્યોને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી

New Update
  • ભરૂચ ન.પા.ની મળી સામાન્ય સભા

  • સત્તાપક્ષ-વિપક્ષના હોદ્દેદારો સભ્યો રહ્યા ઉપસ્થિત

  • સાયખા ડમ્પીંગ સાઈડ મુદ્દે વિપક્ષનો વિરોધ

  • 28 જેટલા વિકાસ કામોનો એજન્ડામાં કરાયો સમાવેશ

  • શક્તિનાથ અને પાંચબત્તી સર્કલની થશે કાયાપલટ

ભરૂચ નગરપાલિકાની નવા નાણાકીય વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી હતી.જેમાં 28 એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જે પૈકી સાયખા ડમ્પીંગ સાઇડ સરન્ડર કરવા સામે વિપક્ષે વિરોધ નોંધાવવા સાથે બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા કરાયેલ ટ્રાફિક અને હોકર્સ ઝોન સહિતના મુદ્દાનો મિનિટસમાં સમાવેશ નહી કરવા સામે ઉગ્ર વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો.       

ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ  સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં નગરપાલિકાનાં સભાખંડ ખાતે મળી હતી.જેમાં વિવિધ વિભાગના 28 જેટલા વિકાસ કાર્યોને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જે પૈકી વિપક્ષે સાયખા ડમ્પીંગ સાઈડ રૂપિયા અઢી કરોડ ચૂકવ્યા બાદ સરન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.તે ઉપરાંત બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક,પાર્કિંગ તેમજ હોકર્સ ઝોન અંગેની રજૂઆતને મિનિટસમાં સમાવેશ ન કરવા સામે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો.

વિપક્ષના નેતા સમસાદ અલીએ પાલિકાની સામાન્ય સભામાં હેલ્થી ચર્ચા થઈ હોવાનું જણાવી શાસકો દ્વારા શહેરની ડમ્પીંગ સાઇડની સમસ્યાનું 20 વર્ષે પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.ત્યારે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ સાયખા ડમ્પીંગ સાઇડ આજ સુધીમાં રૂપિયા અઢી કરોડ ભર્યા બાદ પણ સરન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.તો તેઓની બજેટ સભાની ટ્રાફિક,હોકર ઝોન સહિતની રજૂઆતને મિનિટ્સમાં સમાવવા બાબતે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો.

જ્યારે પાલિકા પ્રમુખ વિભૂતિબાએ સરકાર માંથી વિવિધ ગ્રાન્ટ આવી રહી હોય વિકાસ કાર્યોને વેગ મળશે તેમજ શક્તિનાથ સર્કલનું નવીનીકરણ અને પાંચ બત્તી સર્કલની અટકેલી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.    

આ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર  પ્રજાપતિ,શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ સહિત અન્ય સભ્યો વિપક્ષમાંથી સમસાદ અલી સૈયદ,ઈબ્રાહીમ કલકલ,હેમેન્દ્ર કોઠીવાલાસલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.