ભરૂચ: વાલિયાની ચોરાઆમલા ગ્રામપંચાયતની ગામસભામાં લિગ્નાઇટ પ્રોજેકટનો વિરોધ !

ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે GMDC દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યો હતો.જેનો ગ્રામજનોએ ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • ભરૂચના વાલિયામાં ગ્રામજનોનો વિરોધ

  • ચોરઆમલા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો

  • લિગ્નાઇટ પ્રોજેકટનો વિરોધ નોંધાવાયો

  • ગ્રામસભાનું કરવામાં આવ્યું હતું આયોજન

  • જમીન સંપાદન સામે વિરોધ

ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે GMDC દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યો હતો.જેનો ગ્રામજનોએ ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે પ્રાંત અધિકારી,જી.એમ.ડી.સી.નાઅધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીની ઉપસ્થિતમાં ગ્રામ સભા મળી હતી.જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ ગ્રામસભામાં જમીન સંપાદનની જંત્રીમાં વધારો સહિત અન્ય મુદ્દે ગ્રામજનોએ અભિપ્રાય આપ્યા હતા.સાથે કેટલાક ગ્રામજનોએ ગ્રામ સભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી વાંદરિયા ચોર આમલા ગ્રૂપ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેકટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
ઉપરાંત આદિવાસી વિસ્તારમાં આર્થિક,સામાજિક અને પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા,પરંપરાગત સંસ્કૃતિને નુકશાન થાય તેમ હોવાથી આવા પ્રોજકેટ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે.
Read the Next Article

ભરૂચ: ગ્રામ પંચાયત ચૂંટણી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો

ભરૂચ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીઓ પર ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી

New Update
  • ભરૂચમાં ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ

  • ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો

  • મામલતદાર કચેરીમાં ચહલ પહલ

  • બે દિવસ બાદ ચૂંટણીચિત્ર થશે સ્પષ્ટ

ભરૂચ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીઓ પર ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી
ભરૂચ જિલ્લામાં  આગામી 22મી જૂને યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. જેને લઈને ભરૂચ સહિત તમામ તાલુકાની મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી.દિવસભર સરપંચ, ઉપસરપંચ તેમજ સભ્યપદના ઇચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી.ગામના વિકાસના વચનો સાથે અનેક દાવેદારોએ પોતાની જીતના દાવા પણ કર્યા હતા.મામલતદાર કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી શિસ્તબદ્ધ રીતે ચલાવવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
હવે સૌની નજર 22મી જૂનના મતદાન દિવસ પર છે, જ્યાં મતદારો આગામી પંચ વર્ષ માટે તેમના ગામના વિકાસ માટેની ટીમ પસંદ કરશે.ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં 63 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, 5 ગ્રામપંચાયતોમાં  મધ્યસ્થ ચૂંટણી, 145 ગ્રામપંચાયતમાં ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાશે જેના માટે ચૂંટણી વિભાગ સજ્જ બન્યું છે.બે દિવસ બાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.