ભરૂચ: વાલિયાની ચોરાઆમલા ગ્રામપંચાયતની ગામસભામાં લિગ્નાઇટ પ્રોજેકટનો વિરોધ !

ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે GMDC દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યો હતો.જેનો ગ્રામજનોએ ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • ભરૂચના વાલિયામાં ગ્રામજનોનો વિરોધ

  • ચોરઆમલા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો

  • લિગ્નાઇટ પ્રોજેકટનો વિરોધ નોંધાવાયો

  • ગ્રામસભાનું કરવામાં આવ્યું હતું આયોજન

  • જમીન સંપાદન સામે વિરોધ

Advertisment
ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે GMDC દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યો હતો.જેનો ગ્રામજનોએ ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના ચોરઆમલા ગામ ખાતે પ્રાંત અધિકારી,જી.એમ.ડી.સી.નાઅધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીની ઉપસ્થિતમાં ગ્રામ સભા મળી હતી.જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ ગ્રામસભામાં જમીન સંપાદનની જંત્રીમાં વધારો સહિત અન્ય મુદ્દે ગ્રામજનોએ અભિપ્રાય આપ્યા હતા.સાથે કેટલાક ગ્રામજનોએ ગ્રામ સભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી વાંદરિયા ચોર આમલા ગ્રૂપ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેકટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
ઉપરાંત આદિવાસી વિસ્તારમાં આર્થિક,સામાજિક અને પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા,પરંપરાગત સંસ્કૃતિને નુકશાન થાય તેમ હોવાથી આવા પ્રોજકેટ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર નિંદ્રા માણી રહેલ કારચાલકના રૂ.7.78 લાખના માલમત્તાની ચોરી, 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી

New Update

અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

Advertisment

NH 48 પરનો બનાવ

કારચાલકના માલમત્તાની થઈ હતી ચોરી

પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

રૂ.7.78 લાખના માલમત્તાની કરી હતી ચોરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
 ગત 14 મી મે 2025ના રોજ નવસારીના બીલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રીના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઇલ અને તેની એસેસરીઝ મળી રૂ.  7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઈક ચાલક નજરે પડ્યો હતો.પોલીસે બાઈક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારીયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલા આપા હોટલના  વિપુલ પુના ગમારા ,અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂરઆલમ , બદરુદ્દીન મનીહાર,  અને ભંગાર વેપારીને ત્યાં ન્યુ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઈમરાન કુરેશી ને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment