ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડે નેત્રંગ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

નેત્રંગ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપી સુરેશભાઇ અમૃતભાઇ પાટીલ નંદુરબાર ખાતે છે જેવી બાતમીના આધારે તેને ગતરોજ ઝડપી પાડ્યો આરોપી પ્રોહીબિશનના ગુનામાં ફરાર હતો.

New Update
netrang Prohibition case
છેલ્લા પાંચ વર્ષથી નેત્રંગ પો.સ્ટે.ના ગુનાના નાસતા-ફરતા આરોપીને મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી પેરોલ ફર્લો સ્કોડે ઝડપ્યો હતો ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે મહારાષ્ટ્ર રાજ્યમા તપાસમા ગયેલ હતા તે દરમ્યાન મળેલ બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપી સુરેશભાઇ અમૃતભાઇ પાટીલ નંદુરબાર ખાતે છે જેવી બાતમીના આધારે તેને ગતરોજ ઝડપી પાડ્યો હતો.આરોપી પ્રોહીબિશનના ગુનામાં ફરાર હતો.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.