ભરુચ: જૂની પાંજરાપોળ થી ફાટા તળાવ સુધીના પેવર બ્લોક રોડનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હત

ભરૂચના વોર્ડ નં.8 માં જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધીના પેવર બ્લોક રોડનુ ખાતમુર્હત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું....

New Update
  • પેવર બ્લોક રોડનુ ધારાસભ્યના હસ્તે ખાતમુર્હત

    પાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યને આપવામાં આવ્યો વેગ

    ચોમાસામાં બિસ્માર બનેલ રોડના નવીનીકરણની કામગીરી

    રૂ.14 લાખ 65 હજાર ના ખર્ચે

    પેવર બ્લોક બેસાડવાની કામગીરી 

    ભરુચની જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધીના પેવર બ્લોક રોડનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.ભરૂચના વોર્ડ નં.8 માં જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધીના પેવર બ્લોક રોડનુ ખાતમુર્હત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું..

    ભરુચમાં ચોમાસામાં બિસ્માર બનેલ રોડના નવીનીકરણ અને મરામતની કામગીરી પાલિકા દ્વારા યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવેલ છે.જે અંતર્ગત જૂની પાંજરાપોળથી ફાટા તળાવ સુધી પેવર બ્લોક બેસાડવાની કામગીરી  રૂ.14 લાખ 65 હજાર ના ખર્ચે કરવામાં આવનાર છે.મુખ્ય મંત્રી શહેરી સડક યોજના હેઠળ તૈયાર થનાર આ પેવર બ્લોક રોડનું ખાતમુર્હત ભરુચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું.
  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ વોર્ડના પાલિકા સભ્યોની સક્રિયતાના કારણે લોકોની લાંબા સમય ની આ હાલાકી દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવી સ્થાનિકોની અન્ય સમસ્યાઓની રજૂઆત પણ ધ્યાને લઈ આગામી દિવસોમાં તેના નિવારણ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે નગર પાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ,કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પાલિકા સભ્યો ધનજી ગોહીલ, પ્રવીણ પટેલ, પંજાબેન સહિત અન્ય અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.