ભરૂચ: મહોરમ પર્વને અનુલક્ષી DYSP સી.કે.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • શાંતિ સમિતિની બેઠક યોજાઇ

  • ડી.વાય.એસ.પી.સી.કે.પટેલ રહ્યા ઉપસ્થિત

  • કોમી એખલાસભર્યા વાતાવરણમાં પર્વ ઉજવવા અપીલ

  • શાંતિ સમિતિના સભ્યો રહ્યા હાજર

ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર માં આવેલ  તાલીમ કેન્દ્ર ખાતે મહોરમ  પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચના ડી.વાય.એસ.પી. સી. કે. પટેલની અધ્યક્ષતામાં વિવિધ સમુદાયોના અગ્રણીઓ, વિશેષત્વે મુસ્લિમ અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ  મહોરમ પર્વ દરમ્યાન શહેરમાં શાંતિ, સહઅસ્તિત્વ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. બેઠક દરમ્યાન તાજીયા જુલૂસના માર્ગો, સમયપત્રક, વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક દરમિયાન ભવિષ્યમાં મોરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જેથી લોકોમાં સુરક્ષાની ભાવના ઉદ્દભવે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકી શકાય
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે