ભરૂચ: મહોરમ પર્વને અનુલક્ષી DYSP સી.કે.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • શાંતિ સમિતિની બેઠક યોજાઇ

  • ડી.વાય.એસ.પી.સી.કે.પટેલ રહ્યા ઉપસ્થિત

  • કોમી એખલાસભર્યા વાતાવરણમાં પર્વ ઉજવવા અપીલ

  • શાંતિ સમિતિના સભ્યો રહ્યા હાજર

ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર માં આવેલ  તાલીમ કેન્દ્ર ખાતે મહોરમ  પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચના ડી.વાય.એસ.પી. સી. કે. પટેલની અધ્યક્ષતામાં વિવિધ સમુદાયોના અગ્રણીઓ, વિશેષત્વે મુસ્લિમ અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ  મહોરમ પર્વ દરમ્યાન શહેરમાં શાંતિ, સહઅસ્તિત્વ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. બેઠક દરમ્યાન તાજીયા જુલૂસના માર્ગો, સમયપત્રક, વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક દરમિયાન ભવિષ્યમાં મોરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જેથી લોકોમાં સુરક્ષાની ભાવના ઉદ્દભવે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકી શકાય
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !

ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

New Update
Screenshot_2025-10-22-15-57-15-21_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સૂકવવા મુકાયેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisment
1/38

ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ 

પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી દીધું હતું પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીનું થઈ ગયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે.
Latest Stories