ભરૂચ: પોલીસ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાય, વૃક્ષારોપાણ કરાયુ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજિત ૧૫૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

  • પોલીસ દ્વારા આયોજન કરાયુ

  • વૃક્ષારોપાણનો યોજાયો કાર્યક્રમ

  • પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ કર્મીઓ જોડાયા હતા ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે  જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
ડીવાયએસપી ડો. અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીએસઆઈ સહિતના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે પોલીસ મથકના પ્રાંગણમાં અંદાજિત ૧૫૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોમાં ફળદ્રુપ, ઔષધિય તેમજ છાયાદાર વૃક્ષોનો સમાવેશ થાય છે.
Read the Next Article

અંકલેશ્વર: વાલિયા તાલુકા BJP પ્રમુખનું વોટ્સએપ હેક, "આપકે ઓર હમારે પ્યાર ભરે પલ" લખી લીંક સેન્ટ કરાયા

ભરૂચના વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક PDF ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી

New Update
  • ભરૂચમાં સાયબર માફિયાઓનો ખેલ

  • વાલિયા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરાયુ

  • વોટ્સએપ પરથી અશ્લીલ મેસેજ કરાયા

  • પ્રમુખ પૃથ્વીસિંહ ગોહિલનું વોટ્સએપ હેક

  • વાલિયા પોલીસને અરજી અપાય

ભરૂચના વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક PDF ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના વાલિયા ખાતે રહેતા અને વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ ગત તારીખ-24મી જુનના રોજ રાતે પરિવાર સાથે સુઈ ગયા હતા તે દરમિયાન મોડી રાતે 2 કલાકે અજાણ્યા સાયબર ઠગોએ તેઓનું વોટ્સએપ હેક કરી તેમાં રહેલા 2500 થી 3 હજાર કોન્ટેક્ટ લિસ્ટમાં હિન્દીમાં આપકે ઔર હમારે પ્યાર ભરે પલ,બીતે.opk 1.8 mb.APK અને દેખ કર તો યાદ આભી ગયા હોગાના બે મેસેજ સહિત એક પી.ડી.એફ લિંક ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ ફેલાવવામાં આવ્યો હતો.
આ અંગેની પૃથ્વીરાજસિંહ ગોહિલને તેઓના કોન્ટેક્ટ લિસ્ટના નંબર પરથી ફોન આવતા તેઓને ઘટનાની જાણ થઈ હતી.જેથી તેઓએ પોતાના વોટ્સએપને હેક કરી સાયબર ઠગોએ બીભત્સ મેસેજ કર્યા હોવા સાથે પોતે સાયબર હુમલાના શિકાર બન્યા હોવાનું માલુમ પડ્યું હતું.જેથી તેઓએ વાલિયા પોલીસ મથકે સાયબર ઠગો વિરુદ્ધ અરજી આપી હતી. અને લોકોને આવી લિંક કે મેસેજથી સાવધાન રહેવા અપીલ કરી હતી.