ભરૂચ: પોલીસે 31 ગુનામાં ઝડપેલ રૂ.4 કરોડથી વધુના નશીલા પદાર્થોનો નાશ કરાયો, દહેજની બેઇલ કંપનીમાં માદક પદાર્થોનો નાશ કરાયો

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા રૂપિયા 4 કરોડ ૪૩ લાખના ઝડપી પાડેલા નસીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.

New Update
  • ભરૂચ પોલીસની મોટી કાર્યવાહી

  • નશીલા પદાર્થોનો નાશ કરાયો

  • 31 ગુનામાં ઝડપાયો હતો 4કરોડથી વધુનો જથ્થો

  • બેઇલ કંપનીમાં નાશ કરવામાં આવ્યો

  • એસ.પી.મયુર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાના આધારે પોલીસે સમગ્ર જિલ્લામાં દરોડા પાડી નસીલા પદાર્થોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.વિવિધ 31 ગુનામાં કુલ 4 કરોડ 43 લાખનો નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો જેનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચના દહેજ ખાતે આવેલ બેઇલ કંપનીમાં નસીલા પદાર્થો ડ્રગસ, ગાંજાને ઇન્સ્યુલીટરીમાં સળગાવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.આ પ્રક્રિયા દરમિયાન જિલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
વિતેલા વર્ષમાં ભરૂચ પોલોસે માદક પદાર્થોના સેવન અને દેશમાં થતી ડ્રગ્સની હેરાફેરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અનેક દાખલારૂપ કાર્યવાહી કરી હતી જે અંતર્ગત ઝડપાયેલા નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.