ભરૂચ: અસામાજિક તત્વો સામે પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ, 61 આરોપીની અટકાયત- 23ને તડીપાર કરવા દરખાસ્ત

ભરૂચ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત  કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા માટે 23 દરખાસ્ત કરવામાં આવી છે.

New Update
ભરૂચ પોલીસની કડક કાર્યવાહી
અસામાજિક તત્વો સામે કાર્યવાહી
61 આરોપીઓની અટકાયત કરાય
23 આરોપીઓને તડીપાર કરવા દરખાસ્ત
11 આરોપીઓના જામીન રદ્દ કરાવાયા
ભરૂચ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત  કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા માટે 23 દરખાસ્ત કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના વિરુદ્ધ પગલા ભરવાના આદેશ અપાતા ભરૂચ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં અત્યાર સુધી પોલીસ દ્વારા કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા 23 દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અસામાજિક તત્વોના મકાનમાં વીજ ચેકિંગ દરમિયાન ૨૨ પોલીસ ફરિયાદ દાખલ કરી 10.37 લાખનો દંડ પણ વસૂલ કરાયો છે. આ તરફ 11 આરોપીઓના જામીન રદ કરાવવામાં આવ્યા છે જ્યારે 61 આરોપીઓ સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યા છે. અસામાજિક તત્વો દ્વારા ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો પોલીસ દ્વારા દૂર કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૨ અસામાજિક તત્વોના મકાનમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.પોલીસની મેગા ડ્રાઇવના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.