ભરૂચ: અસામાજિક તત્વો સામે પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ, 61 આરોપીની અટકાયત- 23ને તડીપાર કરવા દરખાસ્ત

ભરૂચ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત  કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા માટે 23 દરખાસ્ત કરવામાં આવી છે.

New Update
ભરૂચ પોલીસની કડક કાર્યવાહી
અસામાજિક તત્વો સામે કાર્યવાહી
61 આરોપીઓની અટકાયત કરાય
23 આરોપીઓને તડીપાર કરવા દરખાસ્ત
11 આરોપીઓના જામીન રદ્દ કરાવાયા
ભરૂચ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત  કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા માટે 23 દરખાસ્ત કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયે 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના વિરુદ્ધ પગલા ભરવાના આદેશ અપાતા ભરૂચ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં અત્યાર સુધી પોલીસ દ્વારા કુખ્યાત આરોપીઓને તડીપાર કરવા 23 દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અસામાજિક તત્વોના મકાનમાં વીજ ચેકિંગ દરમિયાન ૨૨ પોલીસ ફરિયાદ દાખલ કરી 10.37 લાખનો દંડ પણ વસૂલ કરાયો છે. આ તરફ 11 આરોપીઓના જામીન રદ કરાવવામાં આવ્યા છે જ્યારે 61 આરોપીઓ સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યા છે. અસામાજિક તત્વો દ્વારા ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો પોલીસ દ્વારા દૂર કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૨ અસામાજિક તત્વોના મકાનમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.પોલીસની મેગા ડ્રાઇવના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Read the Next Article

ભરૂચ: પ્લેન ક્રેશની ઘટનામાં જંબુસરના MBBSના વિદ્યાર્થીનો આબાદ બચાવ, જમવા જ બેઠા હતા અને માથે મોત આવ્યુ !

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મહાદેવ નગર વિસ્તારના રહેવાસી અને MBBSના બીજા વર્ષના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો

New Update
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મેડિકલના વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો છે જે બદલ તેણે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો  હતો. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મહાદેવ નગર વિસ્તારના રહેવાસી અને MBBSના બીજા વર્ષના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો છે.
ઘટનાની ઘડીઓ યાદ કરતા ધ્રુવે જણાવ્યું કે તે સમયે તે અને તેના મિત્રો એકસાથે જમવા માટે ડાઇનિંગ ટેબલ પાસે બેઠેલા હતા ત્યારે અચાનક એક જોરદાર અવાજ સંભળાયો અને ત્યારબાદ તાત્કાલિક ધુમાડાના ગોટેગોટા છવાય ગયા હતા. પરિસ્થિતિને સમજ્યા વગર, જીવ બચાવવાની હિમ્મત સાથે તે તરત જ ડાઇનિંગ ટેબલ નીચે છુપાઈ ગયા જ્યારે થોડો મોકો મળ્યો ત્યારે ધ્રુવે બિલ્ડિંગની બારીમાંથી કૂદીને નજીકની સુરક્ષિત જગ્યા તરફ પહોંચી ગયા હતા.
બાદમાં આ સમગ્ર ઘટના પ્લેન ક્રેશની હોવાનું બહાર આવ્યું હતુ.ધ્રુવે પોતાનો જીવ બચાવવાને ભગવાનની કૃપા ગણાવતાં પોતાના સ્નેહી મિત્રોનો આ દુર્ઘટનામાં જીવ ગુમાવવાથી ઘેરો શોક વ્યક્ત કર્યો હતો.