ભરૂચ: બિસ્માર માર્ગના પ્રશ્ને આંદોલન કરવા જતા MLA ચૈતર વસાવાનો કાફલો પોલીસે અટકાવ્યો !

ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ નજીક નેશનલ હાઇવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

New Update

ભરૂચની મુલદ ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રસ્તા રોકો આંદોલન કરવા જતા પોલીસ દ્વારા  તેઓનો  કાફલો રોકી દેવામાં આવ્યો હતો

ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ નજીક નેશનલ હાઇવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.ચૈતર વસાવા તેમના કાફલા સાથે મુલદ ચોકડી નજીક પહોંચે તે પૂર્વે પોલીસે તેમનો કાફલો અટકાવી દીધો હતો અને તેઓને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા જણાવ્યું હતું ત્યારે વહેલી તકે માર્ગના સમારકામની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.