ભરૂચ:પોલીસનો માનવતાવાદી અભિગમ, સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલ નિરાધાર દર્દીઓની લીધી મુલાકાત !

સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પીઆઇ વી.એચ. વણઝારા અને તેમની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું

New Update
  • ભરૂચ પોલીસનો માનવતાવાદી અભિગમ

  • નિરાધાર દર્દીઓની લીધી મુલાકાત

  • સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહ્યા છે દર્દીઓ

  • પોલીસે દર્દીઓને સુરક્ષા-સલામતીનો અનુભવ કરાવ્યો

  • આઈસ્ક્રીમનું પણ વિતરણ કરાયુ

ભરૂચ પોલીસનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પોલીસની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું

ભરૂચ પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લઇ રહી છે તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું. વાત એમ છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં નિરાધાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. વણઝારા અને તેમની ટીમે આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી.

આ સાથે જ કાળઝાળ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કર્યું હતું. દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. એક તરફ પોલીસની કઠણ છબી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ પોલીસના આ માનવતા અભિગમની ઠેર ઠેર સરાહના થઈ રહી છે.

Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.