ભરૂચ: જંબુસરના પીલુદરા ગામે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા તથા સત્સંગ સભા યોજાય

ભરૂચના જંબુસરના પીલુદરા ગામ ખાતે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચના જંબુસર પંથકમાં આયોજન

  • પીલુદરા ગામે આયોજન કરાયુ

  • પ્રબોધજીવન સ્વામીની શોભાયાત્રાનું આયોજન

  • સત્સંગ સભા પણ યોજાય

  • મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા

ભરૂચના જંબુસરના પીલુદરા ગામ ખાતે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુરુ હરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજીના જંબુસર પંથકમાં બે દિવસીય વિચરણ અને સભાઓ પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજીચરણ સ્વામી અને સાધુ સૌરભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી. સ્વામીજીના બે દિવસીય આધ્યાત્મિક પ્રવાસનો મગણાદ ખાતેથી પ્રારંભ કરાયો 
બીજા દિવસે પીલુદરા ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ ચંદ્રિકા ભવાની માતા મંદિર પટાંગણમાં  સત્સંગ સભા યોજાઇ હતી.જેમાં પ્રબોધ જીવન સ્વામીજીએ આશિષ પાઠવતા પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે જેના મિત્રો સારા એના ભગવાન મિત્ર થાય છે.અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઈલ આપવો નહીં અને મન લગાવી ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ.
Read the Next Article

ભરૂચ: વિતેલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update
2 varsad

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગતરોજ સમગ્ર દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 18 મી.મી.આમોદ 7 મી.મી.વાગરા 1 ઇંચ ભરૂચ 21 મી.મી.ઝઘડિયા 1 ઇંચ.અંકલેશ્વર 1 ઇંચ.હાંસોટ 17 મી.મી..વાલિયા 1 ઈંચ અને નેત્રંગમાં 9 મી.મી.વરસાદ નોંધાયો હતો