ભરૂચ: જંબુસરના પીલુદરા ગામે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા તથા સત્સંગ સભા યોજાય

ભરૂચના જંબુસરના પીલુદરા ગામ ખાતે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચના જંબુસર પંથકમાં આયોજન

  • પીલુદરા ગામે આયોજન કરાયુ

  • પ્રબોધજીવન સ્વામીની શોભાયાત્રાનું આયોજન

  • સત્સંગ સભા પણ યોજાય

  • મોટી સંખ્યામાં હરીભક્તો જોડાયા

ભરૂચના જંબુસરના પીલુદરા ગામ ખાતે પ્રબોધ જીવન સ્વામીજીની શોભાયાત્રા અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુરુ હરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજીના જંબુસર પંથકમાં બે દિવસીય વિચરણ અને સભાઓ પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રીજીચરણ સ્વામી અને સાધુ સૌરભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી. સ્વામીજીના બે દિવસીય આધ્યાત્મિક પ્રવાસનો મગણાદ ખાતેથી પ્રારંભ કરાયો 
બીજા દિવસે પીલુદરા ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ ચંદ્રિકા ભવાની માતા મંદિર પટાંગણમાં  સત્સંગ સભા યોજાઇ હતી.જેમાં પ્રબોધ જીવન સ્વામીજીએ આશિષ પાઠવતા પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે જેના મિત્રો સારા એના ભગવાન મિત્ર થાય છે.અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઈલ આપવો નહીં અને મન લગાવી ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ.
Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.