ભરૂચ: સાયબર એરેસ્ટ સામે સાવચેતી સલામતી એ જ સુરક્ષા,લોકોએ જાગૃત થવાની જરૂર

ભરૂચ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે.જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો

New Update
  • સાયબર એરેસ્ટની વધી રહેલી ચિંતા જનક ઘટના 

  • સાવચેતી સલામતી એ જ સુરક્ષા

  • ભરૂચ પોલીસે લોકોને સાવચેત રહેવા કરી અપીલ

  • ફ્રોડની ઘટનામાં સાયબર હેલ્પલાઇન 1930નો કરવો સંપર્ક 

  • લોકોને જાગૃત કરવાનો પોલીસનો પ્રયાસ 

 

ભારત દેશમાં અનેક ઠગ ટોળકીઓ સાયબર છેતરપિંડી દ્વારા લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે.જેમાં હાલમાં ડિજિટલ અરેસ્ટ કરીને શિક્ષિત અને સિનિયર સીટીઝનોને ડરાવી ધમકાવી તેમની પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે.ત્યારે ભરૂચ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે.જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આજનો મોબાઈલ યુગ જેટલો ફાસ્ટ થયો છે એટલો જ તેના દ્વારા થતા અપરાધોની સંખ્યામાં પણ વધારો થયો છે.જેને આપણે સાયબર ક્રાઈમના નામથી ઓળખીએ છે.આજના ફાસ્ટ યુગના ફાયદાઓ છે એટલા જ તેના ગેરફાયદાઓ પણ છે.જેમાં મોબાઈલ,કોમ્પ્યુટરટેબલેટ,લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી ઠગો દ્વારા કરવામાં આવતી છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે.

આ પ્રકારના ફ્રોડનો શિકાર બનાવવામાં શિક્ષિત લોકો પણ બાકાત નથી.જેમાં હાલમાં ઠગો અલગ અલગ પ્રકારના ફ્રોડ આચરી લોકોને નિશાન બનાવે છે.જેમાં જોવા જઈએ તો જોબ,લોન,સીમ કાર્ડક્રેડિટ કાર્ડ,મેટ્રીમોનિયલ,ઈન્સ્યોરન્સ,લોટરી સહિતના અનેક ફ્રોડ દ્વારા ઠગો લોકોને છેતરી તેમના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.

આ અંગે લોકોને જાગૃત કરવા ભરૂચ ડીવાયએસપી સી.કે.પટેલની મુલાકાત લઈને તેમની પાસે આવા કિસ્સાઓ કેમ બને છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય તે અંગેની માહિતી મેળવી હતી.આ બાબતે સી.કે પટેલે જણાવ્યું હતું.કે,ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી પરંતુ આવા ઠગો પોલીસ યુનિફોર્મ પહેરી લોકોને ડરાવી ધમકાવી તમે કોઈ મોટો ફ્રોડ કર્યો છે. અથવા કોઈ મહિલાએ તમારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી જેવા કિસ્સાઓમાં ભેળવી તમારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે.

જોકે આવા લોકો સિનિયર સીટીઝન વધારે પડતા ગભરાઈ જતાં હોય અને તેમની વાતોમાં આવી જતા હોય છે. જેથી ભરૂચ પોલીસ જિલ્લાવાસીઓને અપીલ કરીને જણાવ્યું હતું કે,હંમેશા જાગૃત અને સચેત રહીને આવા કોઈ કોલ આવે તો ડર્યા વગર નજીકના પોલીસ મથક અથવા સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરીને મદદ માગવી જોઈએ જેથી મોટી છેતરપિંડીથી બચી શકાય છે.

Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.