ભરૂચ: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવનાર નરાધમ આચાર્યની ધરપકડ

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ પર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે. પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા.

New Update
  • ભરૂચમાં બન્યો હતો ચકચારી બનાવ

  • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિની સાથે બન્યો હતો બનાવ

  • શાળાના આચાર્યએ કર્યું હતુ અયોગ્ય વર્તન

  • પોક્સો અને દુષ્કર્મ હેઠળ નોંધાઇ હતી પોલીસ ફરિયાદ

  • પોલીસે ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવનાર શાળાના આચાર્ય કમલેશ રાવલની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 3 દિવસથી આચાર્ય ફરાર હતો જેને આખરે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેકટર કે એમ ચૌધરીએ એફઆઈઆરના 3 દિવસ બાદ આખરે ફરાર આચાર્યની ધરપકડ કરી લીધી છે. ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ પર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે. વર્ષ 2024 અને વર્ષ 2022માં ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા.
બે વાર શિકાર બન્યા બાદ કિશોરી પરિવારને જાણ કરતા મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે ચઢ્યો હતો. દુષ્કર્મ અને પોક્સો હેઠળ બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા એ.એચ.ટી.યુની ટીમે તપાસ શરૂ કરી હતી. મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ તપાસનો દોર લંબાવ્યા બાદ આખરે હવસખોર આચાર્ય કમલેશ રાવલની ધરપકડમાં પોલીસને સફળતા સાંપડી છે. જેને લોકઅપના સળિયા પાછળ ધકેલાયો છે.
Read the Next Article

ભરૂચ : આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાની 125મી પુણ્યતિથિ નિમિત્તે રાજપારડી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

New Update
aa

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી બિરસા મુંડા અમર રહો” ના નારા લગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. બિરસા મુંડાના જીવન અને તેમના આદિવાસી હિત માટેના સંઘર્ષને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ તેમના વિચારો વ્યક્ત કરતા આદિવાસી એકતા અને હક્ક માટે સતત જાગૃત રહેવા સંદેશો આપ્યો હતો. કાર્યક્રમના અંતે બિરસા મુંડાના વિચારોથી પ્રેરાઈ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગી આગેવાન ધનરાજ વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.