ભરૂચ: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવનાર નરાધમ આચાર્યની ધરપકડ

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ પર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે. પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા.

New Update
  • ભરૂચમાં બન્યો હતો ચકચારી બનાવ

  • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિની સાથે બન્યો હતો બનાવ

  • શાળાના આચાર્યએ કર્યું હતુ અયોગ્ય વર્તન

  • પોક્સો અને દુષ્કર્મ હેઠળ નોંધાઇ હતી પોલીસ ફરિયાદ

  • પોલીસે ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવનાર શાળાના આચાર્ય કમલેશ રાવલની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 3 દિવસથી આચાર્ય ફરાર હતો જેને આખરે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેકટર કે એમ ચૌધરીએ એફઆઈઆરના 3 દિવસ બાદ આખરે ફરાર આચાર્યની ધરપકડ કરી લીધી છે. ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ પર શાળાની એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ મુકાયો છે. વર્ષ 2024 અને વર્ષ 2022માં ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પીડિતાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા.
બે વાર શિકાર બન્યા બાદ કિશોરી પરિવારને જાણ કરતા મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે ચઢ્યો હતો. દુષ્કર્મ અને પોક્સો હેઠળ બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવતા એ.એચ.ટી.યુની ટીમે તપાસ શરૂ કરી હતી. મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ તપાસનો દોર લંબાવ્યા બાદ આખરે હવસખોર આચાર્ય કમલેશ રાવલની ધરપકડમાં પોલીસને સફળતા સાંપડી છે. જેને લોકઅપના સળિયા પાછળ ધકેલાયો છે.
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.