ભરૂચ : કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના આશાસ્પદ યુવાનનું મોત, વતન રહેતા પરિવારજનોમાં શોકની લાગણી...

ભરૂચ જિલ્લાના આમોદ નગરના રહેતા રોહિતભાઈ લિંબચીયાનો 25 વર્ષીય પુત્ર ઋષભ લિંબચીયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ખાતે રહેતો હતો. જ્યાં તેઓનું અકસ્માતમાં મોત નીપજ્યું

New Update
  • આમોદના આશાસ્પદ યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત

  • ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 25 વર્ષીય યોવાકનું મોત

  • 3 વર્ષથી ઋષભ લિંબચીયા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા રહેતો હતો

  • કાર અને ટ્રક વચ્ચેના ગોઝારા અકસ્માતનો વિડીયો સામે આવ્યો

  • આશાસ્પદ યુવાનનું મોત નિપજતા પરિજનોમાં શોકની લાગણી 

ભરૂચ જિલ્લાના આમોદના આશાસ્પદ યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. મળતી માહિતી અનુસારમૂળ ભરૂચ જિલ્લાના આમોદ નગરના કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા રોહિતભાઈ લિંબચીયાનો 25 વર્ષીય પુત્ર ઋષભ લિંબચીયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ખાતે રહેતો હતો.

જે ગત તા. 13 ફેબ્રુઆરી-2025ની રાત્રિએ 1 વાગ્યાના અરસામાં કેનેડાના બ્રેમટન ખાતેથી કાર લઈ પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન ઓવરટેક કર્યા બાદ સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા સામેથી આવતી ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ઋષભ લિંબચીયાનું કરૂણ મોત નીપજ્યું હતું. જોકેઅકસ્માતની ગોઝારી ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. કેનેડામાં માર્ગ અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત નિપજતા વતન રહેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.