ભરુચ : હાંસોટના સુણેવખુર્દ ખાતે મિલકતોના પ્રોપર્ટી કાર્ડનું ડૉ. કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું

ભરુચ જિલ્લાના હાંસોટ તાલુકાના સુણેવખુર્દ ગામની નિલકંઠ વિદ્યાલય ખાતે મંત્રી ડૉ. કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

New Update
  • મોદીના હસ્તે પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરાયું
    હાંસોટમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કાર્યક્રમ યોજાયો
    ડૉ. કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું
    કાર્યક્રમનો ઉપસ્થિત લાભાર્થીઓએ લીધો લાભ
    ઉપસ્થિતોએ નિહાળ્યું વડાપ્રધાન મોદીનું વર્ચ્યુઅલ સંબોધન

    ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના સુણેવખુર્દ ખાતે મંત્રી ડૉ. કુબેર ડીંડોર તેમજ અન્ય પદાધિકારીઓના હસ્તે જિલ્લાના મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું
    કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ તથા ગ્રામ પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્નારા આયોજિત સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને વચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશના મોટી સંખ્યામાં મકાન માલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવ્યું હતું તે અંર્તગત ભરુચ જિલ્લાના હાંસોટ તાલુકાના સુણેવખુર્દ ગામની નિલકંઠ વિદ્યાલય ખાતે મંત્રી ડૉ. કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

    જેમાં ઉપસ્થિત મંત્રી ડો.કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે સરકાર ગરીબો સહિત તમામની ચિંતા કરે છે અમે રાજનીતિ માટે નહિ પણ બદલાવની રાજનીતિ માટે આવ્યા છે 2014 થી દેશના તમામ ક્ષેત્રોમાં બાદલાવ જોવા મળી રહ્યો છે. ઉપસ્થિત ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ,ડી.કે સ્વામી એ પણ પ્રસંગોચિત ઉદબોધન કરતા ભાજપ સરકારની પ્રજાલક્ષી યોજનાઓને વર્ણવવા સાથે ભાવિ યોજનાઓની પણ માહિતી આપી હતી.
  • આ પ્રસંગે વડાપ્રધાન મોદીનું વર્ચ્યુઅલ સંબોધન ઉપસ્થિતોએ નિહાળ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી, સહિત અન્ય ઉચ્ચ અઘિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
Latest Stories