ભરૂચ: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના કથિત ભ્રષ્ટાચારનો વિરોધ, ભાજપ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન,કોંગ્રેસે પણ આપ્યો જવાબ

નેશનલ હેરાઇડ કેસમાં કોંગ્રેસના આગેવાનોના કઠિત ભ્રષ્ટાચાર ના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું તો સામે કોંગ્રેસે પણ જવાબ આપ્યો હતો.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન

  • કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના આક્ષેપ

  • નેશનલ હેરાલ્ડ કેસમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • પોલીસે પૂતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો

નેશનલ હેરાઇડ કેસમાં કોંગ્રેસના આગેવાનોના કઠિત ભ્રષ્ટાચાર ના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું તો સામે કોંગ્રેસે પણ જવાબ આપ્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસના અનુસંધાને અને કોંગ્રેસના વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસ કાર્યાલય નજીક જ યોજાયેલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પૂતળાદહનનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસે આ કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ  પ્રકાશ મોદી, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ  ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને ભ્રષ્ટાચારના વિરોધમાં જનજાગૃતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો
વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારી એજન્સીઓનો દૂર ઉપયોગ કરી ખોટા કેસો કરી રહી છે. 2027ની ચૂંટણીમાં તેઓ હાર ભાળી ગયા છે માટે આ પ્રકારના હઠકંડા તેઓ દ્વારા અપનાવવામાં આવે છે
Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.