ભરૂચ:રાજપૂત સમાજ દ્વારા તલવાર રાસનું આયોજન, શૌર્ય સાથે શક્તિની કરાય આરાધના

ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી

New Update

ભરૂચમાં નવરાત્રીની જામી રંગત

રાજપુત સમાજ દ્વારા કરાયુ આયોજન

નવરાત્રી નિમિત્તે તલવાર રાસનું આયોજન

મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ જોડાયા

શૌર્ય સાથે શક્તિની કરાય આરાધના

ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી
ભરૂચના રાજપૂત સમાજ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં તલવાર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ, ભરૂચ સંચાલિત  રાજૂપત મહિલા ઉત્સવ સમિતિ આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રીની શહેરના રાજપૂત છાત્રાલય ખાતે ઉત્સાહ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.નવલા નોરતા નિમિતે આયોજિત ગરબામાં 'તલવાર ગરબા'નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં રાજપૂત સમાજના યુવાન યુવતીઓ હાથમાં તલવાર સાથે ગરબે ઘૂમી તલવાર રાસ રમી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા.રાજપૂત સમાજના યુવાન યુવતીઓ તલવાર સાથે ગરબે રમી માતાજીની આરાધના કરી હતી
Read the Next Article

ભરૂચ: વાલિયામાં તા.25 થી 31 ઓક્ટોબર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચના વાલિયા ખાતે કરાયુ આયોજન

  • ઓક્ટોબર માસમાં યોજાશે ભાગવત સપ્તાહ

  • કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

  • આયોજન સંદર્ભે બેઠક યોજાય

  • સપ્તાહ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે 

ભરૂચના વાલીયામાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના આયોજન સંદર્ભે શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે બેઠક મળી હતી
તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન સંદર્ભે ગ્રુપના જયદીપસિંહ ગોહિલ,નરપતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે મિટિંગ મળી હતી.જેમાં કાર્યક્રમના આયોજનને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ કથામાં જાણીતા કથાકાર રમેશ ઓઝા અમૃતનય વાણીમાં કથાનું રસપાન કરાવશે.જ્યારે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.