ભરૂચ: સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલું છે મંદિર

  • સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે કરાયુ આયોજન

  • ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • વિનાયક ચતુર્થી નિમિત્તે આયોજન કરાયુ

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના મક્કમપુર વિસ્તારમાં ભગવાન શ્રી ગણેશનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે આજરોજ વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધના કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.માગશર સુદ ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી, વિનાયક ચવિથિ, વિનયગર ચતુર્થી, ગણેશોત્સવ, ગણેશ ઘર, વરદ વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે
Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.