New Update
-
ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલું છે મંદિર
-
સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે કરાયુ આયોજન
-
ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
-
વિનાયક ચતુર્થી નિમિત્તે આયોજન કરાયુ
-
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના મક્કમપુર વિસ્તારમાં ભગવાન શ્રી ગણેશનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે આજરોજ વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધના કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.માગશર સુદ ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી, વિનાયક ચવિથિ, વિનયગર ચતુર્થી, ગણેશોત્સવ, ગણેશ ઘર, વરદ વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે
Latest Stories