ભરૂચ: અંડર ગ્રાઉન્ડ ગટર લાઇનના કારણે બિસ્માર બનેલ માર્ગોનું સમારકામ શરૂ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયુ ખાતમુર્હુત

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આકાર પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા વિકાસ કાર્યો

  • વોર્ડ નંબર 11માં યોજાયો કાર્યક્રમ

  • વિકાસના કાર્યોનું કરાયુ ખાતમુર્હુત

  • રૂ.50 લાખના ખર્ચે નિર્માણ પામશે માર્ગો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આકાર પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવાસદનના વોર્ડ નંબર 11માં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મિલેનિયમ માર્કેટથી ઇંટવાળાના ઘર સુધી આરસીસી રોડ તથા વિવિધ માર્ગો અને પેવર બ્લોક બેસાડવાના તેમજ દુમવાડમાં આરસીસી રોડ અને વોર્ડ નંબર 11ના 10 જેટલા વિકાસલક્ષી કાર્યોનો ખાતર્મુહુતસમારોહ યોજાયો હતો રૂપિયા 50 લાખના ખર્ચે આકાર પામનાર વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ,કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે જે માર્ગો બિસ્માર બન્યા હતા જેના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.આવનારા સમયમાં જુના ભરૂચના તમામ મુખ્યમાર્ગોનું પણ નવીનીકરણ કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.