New Update
/connect-gujarat/media/media_files/2025/07/10/bharuch-road-repair-2025-07-10-16-51-12.jpg)
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન અને આગેવાનીમાં વરસાદી ઋતુ દરમિયાન માર્ગોની ક્ષતિઓને દુર કરવા તાત્કાલિક અને આયોજનબદ્ધ રીતે ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે મુજબ શહેર અને જિલ્લામાં રસ્તા રિપેરીંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કામગીરી હાથ ધરાઈ રહી છે.
જેને અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્નારા ટંકારીયા થી વરેડીયા, પાલેજ –ઈખર-સરભાણ રોડ,વાગરા- ગંધાર, જંબુસર –સમની, વગેરે જેવા માર્ગોની મરામત કામગીરી પ્રગતિમાં છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન માર્ગ અને મકાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાડા ભરવા તેમજ મુસાફરી સુલભ બનાવવા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદ દરમ્યાન પણ જિલ્લાના માર્ગોને યથાશક્ય સારી સ્થિતિમાં રાખવા આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.
Latest Stories