ભરૂચવાસીઓએ કશ્મીરનો પ્લાન કેન્સલ કર્યો, 700થી વધુ બુકીંગ રદ્દ !

આતંકી હુમલાના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ભરૂચમાંથી જમ્મુ કશ્મીરના પ્રવાસે જનાર 700થી વધુ મુસાફરે તેમની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરાવી

author-image
By Connect Gujarat Desk
New Update
  • જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાની અસર

  • પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો

  • ભરૂચમાંથી 700 મુસાફરોએ ટીકીટ રદ્દ કરાવી

  • રૂ.8 કરોડના નુકશાનનો અંદાજ

  • લોકોને સતાવી રહ્યો છે ડર

Advertisment
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ભરૂચમાંથી જમ્મુ કશ્મીરના પ્રવાસે જનાર 700થી વધુ મુસાફરે તેમની ટિકિટ તાત્કાલિક અસરથી રદ કરાવી છે
તાજેતરમાં કશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પરિણામ રૂપે ભરૂચ જિલ્લામાં પ્રવાસ ઉદ્યોગને ગંભીર અસર પહોંચી છે. ભરૂચ ટ્રાવેલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર લોકોમાં સુરક્ષાને લઈ ઉદ્દભવેલા ભયને પગલે પ્રવાસીઓ દ્વારા યોજાયેલા કાશ્મીર પ્રવાસને મોટા પાયે રદ્દ કરવામાં આવ્યા છે આંકડાઓ મુજબ 700થી વધુ મુસાફરોએ પોતાની યાત્રાઓ રદ્દ કરી છે અને આ દરમિયાન અંદાજે 22,000થી વધુ મૂલ્યની 700થી વધુ ટિકિટો કેન્સલ કરવી પડી છે.
ટ્રાવેલ એજન્સીઓ માટે આ નુકસાન મોટું માનવામાં આવી રહ્યું છે.ખાસ કરીને ઉનાળુ વેકેશનના શરુઆતના સમયગાળામાં આ સ્થિતિ સર્જાઈ હોવાને લીધે ટ્રાવેલ્સ એસોસિએશનના સભ્યોએ જણાવ્યુ હતું કે લોકોમાં હાલ ભયનો માહોલ છે. પરિવારો હવે પ્રવાસ કરવાની જગ્યાએ યાત્રાઓ મુલતવી રાખી રહ્યા છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment