ભરૂચ: શ્રવણચોકડી નજીકનો માર્ગ બિસ્માર બનતા 20 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં, આંદોલનના એંધાણ

ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો બિસ્માર બનતા 20થી વધુ સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

New Update
  • ભરૂચમાં ચોમાસાની શરૂઆતમાં જ સમસ્યા

  • વિવિધ માર્ગો બન્યા બિસ્માર

  • શ્રવણ ચોકડી નજીકનો માર્ગ બિસ્માર

  • 20 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં

  • આંદોલનની ચીમકી ઉચ્ચરાય

ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો બિસ્માર બનતા 20થી વધુ સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો મુખ્ય માર્ગ હાલ બિસ્માર સ્થિતિમાં પહોંચી ગયો છે. તાજેતરમાં પાઈપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય રીતે પુનઃનિર્માણ ન થવાને કારણે વરસાદ પડતા જ માટી રસ્તા પર આવી ગઈ છે અને રોડ ખોદકામ પછી બિસ્માર બની ગયો છે.આ માર્ગ પરથી રોજિંદા પસાર થતા હજારો લોકો ખાસ કરીને કંપનીઓમાં નોકરીએ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાદવ, ખાડાઓ અને પાણી ભરાવાને કારણે માર્ગ પાર કરવો મુશ્કેલ બની ગયો છે આ વિસ્તાર નંદેલાવ ગ્રામ પંચાયત અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાઈપલાઇનનું કામ પૂરું થયા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ અને નવીનીકરણ થવું જરૂરી હતું પણ એ ન થતા 20થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.