ભરૂચ: સોનાના ભાવમાં તેજી રોકાણકારો માટે લાપસીના આંધણ-જવેલર્સ માટે અભિશાપ, જુઓ વિશેષ અહેવાલ

શેરબજારમાં કડાકાની ચિંતા સામે સોનામાં તેજીએ કિંમતી ધાતુના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. સોનામાં તેજી રોકાણકારો માટે ફાયદાનો સોદો બન્યો પણ આ તેજીના કારણે સુવર્ણકરો મંદીમાં સપડાયા છે.

New Update
  • સોનાના ભાવમાં જબરદસ્ત તેજી

  • રોકાણકારો માટે ફાયદાનો સોદો

  • સુવર્ણકરો મંદીમાં સપડાયા

  • સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો

  • જવેલર્સના વેપાર પર અસર

શેરબજારમાં કડાકાની ચિંતા સામે સોનામાં તેજીએ કિંમતી ધાતુના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. સોનામાં તેજી રોકાણકારો માટે ફાયદાનો સોદો બન્યો પણ આ તેજીના કારણે સુવર્ણકરો મંદીમાં સપડાયા છે.
ભારતીય સંસ્કૃતિમાં લગ્નપ્રસંગ અને વાર-તહેવારે સોનાની ખરીદી અને ભેટ આપવાનું મહત્વ છે. સોનાના આસમાનને આંબતા ભાવના કારણે સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેની સીધી અસર સુવર્ણકારોની આવક પર પડી છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 9750 રૂપિયા વધીને 88000 રૂપિયા થયો છે. તે જ સમયે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 1 લાખ રૂપિયા નજીક છે. સોનામાં રોકાણની ક્ષમતામાં ઘટાડો થયો છે તેની સીધી અસર સુવર્ણકારોના કારોબાર પર પડી છે. કારોબાર પર સોનાના વેપારીઓ ઉપરાંત સોનાના દાગીના બનાવનાર કારીગરો પણ નભે છે. સોનાની ખરીદીમાં ઘટાડાના કારણે વ્યવસાય આધારિત લોકોના કારોબારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે. માત્ર બે મહિનામાં રોકાણકારોને ૧૦ હજાર રૂપિયા આસપાસ નફો દેખાઈ રહ્યો છે પણ સોનાના રોકાણકારો પાસે હવે દાગીના સિવાયના વિકલ્પ ઉપલબ્ધ છે. રોકાણકારો કાચું સોનુ અને ડિજિટલ ગોલ્ડ ખરીદતા હોવાથી ઘરેણાં બનાવનાર અને વેચનાર વ્યવસાયકારો મંદી તરફ ધકેલાઈ રહ્યા છે.
નિષ્ણાંતો અનુસાર વર્ષ 2025 મા જ સોનુ પ્રતિ તોલા એક લાખની સપાટીને સ્પર્શે તો નવાઈ નહિ... આ તેજી રોકાણકારો માટે લાપસીનાં આંધણ છે પણ સોનાના ઘરેણાના કારીગરો અને વેપારીઓ માટે અભિશાપ સાબિત થઇ રહી છે.
Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.