ભરૂચ: શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની વરણી,કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો અભિવાદન સમારોહ

સલીમ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે શહેર કોંગ્રેસ તરીકે સલીમ અમદાવાદીની નિમણુંક થતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો

New Update
  • ભરૂચ શહેર કોંગ્રેસને મળ્યા નવા સુકાની

  • સલીમ અમદાવાદીની પ્રમુખ તરીકે વરણી

  • કોંગ્રેસ કાર્યાલય પર યોજાયો કાર્યક્રમ

  • અભિવાદન સમારોહનું આયોજન કરાયું

  • કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂક કરાતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી છે. સલીમ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે શહેર કોંગ્રેસ તરીકે સલીમ અમદાવાદીની નિમણુંક થતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, નગરપાલિકામાં  વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.