ભરૂચ: વાગરામાં કોંગ્રેસ કાર્યાલયમાંથી સરપંચ-વોર્ડ સભ્યોના ફોર્મની ચોરી, કોંગ્રેસે ષડ્યંત્ર ગણાવ્યું

વાગરામાં કોઇએ કોંગ્રેસનો ખેલ કરી નાંખ્યો હતો. સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રો કોઈ કોંગ્રેસ કાર્યાલયમાંથી ચોરી ગયું

New Update
  • ભરૂચના વાગરાનો બનાવ

  • કોંગ્રેસ કાર્યાલયમાં ચોરી

  • સરપંચ-ઉમેદવારોના ફોર્મની ચોરી

  • કોંગ્રેસના આગેવાનો થયા દોડતા

  • પોલીસને જાણ કરવામાં આવી

ભરૂચના વાગરમાં આવેલ કોંગ્રેસ કાર્યાલયમાંથી સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રોની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો
ભરૂચ જિલ્લાની  ગ્રામ પંચાયતોમાં થનારી ચૂંટણી માટે સોમવારના રોજ ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ હતો.ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે વાગરામાં કોઇએ કોંગ્રેસનો ખેલ કરી નાંખ્યો હતો. સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રો કોઈ કોંગ્રેસ કાર્યાલયમાંથી ચોરી ગયું હતું. વાગરા કોંગ્રેસ ઓફિસમાં રવિવારના રોજ સાયખા ગામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય ઉમેદવારો ના ફોર્મ વકીલ મારફતે ભરીને તૈયાર કરીને ટેબલના ખાનામાં મૂકીને ઓફિસ બંધ કરી જતાં રહ્યા હતાં.
સોમવારે સવારે ઓફિસ ખોલવામાં આવતાં ફોર્મ ભરેલી થેલી ગાયબ જણાય હતી. પોલીસને જાણ કરવામાં આવતાં સ્ટાફ સ્થળ પર દોડી આવ્યાં હતો. કાર્યાલયના સીસીટીવી તપાસવામાં આવ્યાં હતાં પણ કોઈ સફળતા મળી ન હતી.કોંગ્રેસ પ્રેરિત સરપંચ તેમજ સભ્ય ઉમેદવારને સાયખા ગામથી બોલાવી તાત્કાલિક વકીલ મારફતે નવા ઉમેદવારી પત્રો ભરાવવામાં આવ્યાં હતાં. કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ સુલેમાન પટેલ તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ અને ચોરી બાબતે વાગરા પોલીસ ને જાણ કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.