ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ ચિકિત્સા શિબિર યોજાઈ

ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌવંશના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી હતી

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સાર્થક ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું

  • ગૌવંશ ચિકિત્સા શિબિર યોજાય

  • ગૌ વંશના આરોગ્યની કરાય તપાસ

  • સ્વયં સેવકો જોડાયા

ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌવંશના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી હતી
ભરૂચમાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે સંસ્થા દ્વારા વધુ એક ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે. સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને બી.જી પી.હેલ્થકેરના સંયુક્ત પ્રયાસથી ભરૂચ શહેરમાં ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ગૌવંશ કેટલીક વખત અખાધ્યા ખોરાક પણ આરોગે છે જેનાથી તેમના આરોગ્યને નુકસાન પહોંચે છે ત્યારે સાર્થક ફાઉન્ડેશન અને બી.જી.પી. હેલ્થ કેર દ્વારા દવા આપવામાં આવે છે જેનાથી તેઓના આરોગ્યને તકલીફ પહોંચતી નથી. જે પશુઓને દવા આપવામાં આવે છે તેના પર નિશાન કરી દેવામાં આવે છે.આ દવાના કારણે પશુઓને પેટના તથા ચામડીના રોગોમાં રાહત મળે છે.આ અભિયાન દર ત્રણ મહિને કરવામાં આવે છે જેમાં બંને સંસ્થાના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાય છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.