New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
સાર્થક ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું
-
ગૌવંશ ચિકિત્સા શિબિર યોજાય
-
ગૌ વંશના આરોગ્યની કરાય તપાસ
-
સ્વયં સેવકો જોડાયા
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌવંશના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી હતી
ભરૂચમાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે સંસ્થા દ્વારા વધુ એક ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે. સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને બી.જી પી.હેલ્થકેરના સંયુક્ત પ્રયાસથી ભરૂચ શહેરમાં ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ગૌવંશ કેટલીક વખત અખાધ્યા ખોરાક પણ આરોગે છે જેનાથી તેમના આરોગ્યને નુકસાન પહોંચે છે ત્યારે સાર્થક ફાઉન્ડેશન અને બી.જી.પી. હેલ્થ કેર દ્વારા દવા આપવામાં આવે છે જેનાથી તેઓના આરોગ્યને તકલીફ પહોંચતી નથી. જે પશુઓને દવા આપવામાં આવે છે તેના પર નિશાન કરી દેવામાં આવે છે.આ દવાના કારણે પશુઓને પેટના તથા ચામડીના રોગોમાં રાહત મળે છે.આ અભિયાન દર ત્રણ મહિને કરવામાં આવે છે જેમાં બંને સંસ્થાના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાય છે.