ભરૂચ: હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભા યોજાય

ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય ધામ નજીક  હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણી

  • ઉજવણીના ભાગરૂપે આયોજન કરાયું

  • સત્સંગ સભા યોજાય

  • પ્રબોધજીવન સ્વામીજી રહ્યા ઉપસ્થિત

ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય ધામ નજીક  હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું
આવનાર પાંચ જાન્યુઆરી 2025 ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવના પડધમો વાગી ગયા છે ત્યારે હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી દર્શનદાન આપવા તા- 16 અને 17 એમ 2 દિવસ ભરૂચ-અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા હતા.જે સંદર્ભે ભરૂચ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ બિઝનેસમેન જેવા સમાજ સેવકોની ભવ્ય સભાનું આયોજન પ.પૂ. પ્રબોધજીવનના સાનિધ્યમાં કરવામાં આવ્યુ હતું.સભામાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવ્યું હતું. આ સત્સંગ સભાનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.
Read the Next Article

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક

New Update

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ સબજેલમાં ઉજવણી કરાય

પાલિકા-જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોની ઉપસ્થિતિ

નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા વિશેષ ઉપસ્થિત

બંદીવાનોને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કર્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવસેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તથા જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીગ્રુપ લીડર નયના ખુમાણમિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી.

આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહીએક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.