ભરૂચ: હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભા યોજાય

ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય ધામ નજીક  હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણી

  • ઉજવણીના ભાગરૂપે આયોજન કરાયું

  • સત્સંગ સભા યોજાય

  • પ્રબોધજીવન સ્વામીજી રહ્યા ઉપસ્થિત

ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય ધામ નજીક  હરીપ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબોધજીવન સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું હતું
આવનાર પાંચ જાન્યુઆરી 2025 ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવના પડધમો વાગી ગયા છે ત્યારે હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી દર્શનદાન આપવા તા- 16 અને 17 એમ 2 દિવસ ભરૂચ-અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા હતા.જે સંદર્ભે ભરૂચ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ બિઝનેસમેન જેવા સમાજ સેવકોની ભવ્ય સભાનું આયોજન પ.પૂ. પ્રબોધજીવનના સાનિધ્યમાં કરવામાં આવ્યુ હતું.સભામાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવ્યું હતું. આ સત્સંગ સભાનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.