ભરૂચ: જંબુસરના વેડચ ગામે વિકાસના ધજાગરા ઉડાડતા દ્રશ્યો, જુઓ બાળકો કઈ રીતે જાય છે શાળાએ

સરકાર દ્વારા વિકાસની ગુલબાંગો ફુકવામાં આવે છે પરંતુ આ ગામમાં માર્ગ બનાવવાનો તંત્રના અધિકારીઓ પાસે જાણે સમય જ નથી ત્યારે હવે ગ્રામજનોએ હવે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે

New Update
ભરૂચના જંબુસરના વેડચ ગામના દ્રશ્યો
વરસાદી પાણી ભરાવાની સમસ્યા
પાણીમાં ઉતરી બાળકો જાય છે શાળાએ
તંત્ર પાસે ગામમાં માર્ગ બનાવવાનો નથી સમય
ગ્રામજનોએ આક્રોશ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના જંબુસર તાલુકાના વેડચ ગામે બાળકો વરસાદી પાણી વચ્ચે ઉતરીને શાળાએ જવા માટે મજબુર બન્યા છે. ભરૂચના જંબુસર તાલુકાના છેવાડાના વેડચ ગામે શિક્ષણની બલિહારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચોમાસાની સિઝન આવે એટલે  વિદ્યાર્થીઓના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવે..કારણ કે વરસાદી પાણી વચ્ચેથી શાળાએ જવુ તો જવું કઈ રીતે...વેડચ ગામે વરસાદી પાણીનો ભરાવો થાય છે પરંતુ તેનું કોઈ જ નિરાકરણ ન હોવાના કારણે ઘૂંટણ સમા પાણીમાં બાળકો ઉતરીને શાળાએ જાય છે.

આ સમયે તેમના યુનિફોર્મ અને ચોપડા પણ ભીંજાઈ જાય છે.આ સમસ્યા અંગે વારંવાર તંત્રમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વરસાદી પાણીના ભરાવાની સમસ્યા વર્ષોથી છે.તેના કારણે બાળકો સાથે ગ્રામજનો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરંતુ આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી.

સરકાર દ્વારા વિકાસની ગુલબાંગો ફુકવામાં આવે છે પરંતુ આ ગામમાં માર્ગ બનાવવાનો તંત્રના અધિકારીઓ પાસે જાણે સમય જ નથી ત્યારે આવનારા દિવસોમાં જો તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેઓ દ્વારા ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે

Read the Next Article

ભરૂચ: અપનાઘર સોસા.માં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો, નગરપાલિકા પ્રશ્નનું નિરાકરણ લાવે એવી માંગ

ભરૂચ અપનાઘર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.

New Update
  • ભરૂચની અપનાઘર સોસાયટીનો બનાવ

  • દુષિત પાણીના કારણે રહીશો પરેશાન

  • સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો

  • અધિકારીઓ પાણીના નમૂના લઈ જતા રહ્યા

  • હજુ સુધી પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં

ભરૂચ નગર સેવા સદનની હદમાં આવેલ આપના ઘર સોસાયટીમાં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશો હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે જેના કારણે સોસાયટીમાં માંદગીનું પ્રમાણ વધ્યુ છે.આ અંગે સ્થાનિકો નગરપાલિકામાં વારંવાર રજુઆત કરી હોવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.સ્થાનિક મનહરભાઈના જણાવ્યા અનુસાર અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ તો લેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી અને નળમાંથી ગંદુ પાણી આવવાનું હજુ પણ યથાવત જ છે.