ભરૂચ: શાળાઓ વાલીઓને ચોક્કસ જગ્યાએથી જ નોટબુક-યુનિફોર્મ ખરીદવા દબાણ ન કરી શકે, શિક્ષક વિભાગે બહાર પાડ્યો પરિપત્ર

ભરૂચમાં શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા વાલીઓને દબાણ ન કરી શકાય.આવી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચ શિક્ષણ વિભાગનો પરિપત્ર

  • શાળાઓ માટે પરિપત્ર બહાર પડાયો

  • નોટબુક સહિતની સામગ્રી ચોક્કસ જગ્યાએથી ખરીદવા દબાણ ન થઈ શકે

  • શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે

  • કેટલીક શાળા આવી પ્રવૃત્તિ કરતી હોવાનું આવ્યું હતું બહાર

ભરૂચમાં શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા વાલીઓને દબાણ ન કરી શકાય.આવી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી નોટબુક, પુસ્તકો, સ્કૂલબેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મળી હતી.આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી તમામ શાળાઓને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.શિક્ષણ અધિનિયમ RTE-2009 તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા. 02/12/2014 ના ઠરાવ મુજબ શાળાઓ પોતાનું લોગો છપાવેલી નોટબુક કે ચોક્કસ દુકાનો પરથી સામગ્રી ખરીદવા ફરજ પાડી શકે તેમ નથી.આ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964ની કલમ-17 મુજબ શાળાએ વિદ્યાર્થીઓ ઉપર કોઈ પણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકાતી નથી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટનાઓ સામે આવશે તો તેઓ વિરૂદ્ધ RTE એક્ટ અને શિક્ષણના નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.