ભરૂચ: કૃત્રિમકુંડમાં વિસર્જિત POPની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવાયેલ ત્રણ કુત્રિમ જળકુંડમાં વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનો દહેજની બેઇલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે

New Update

ભરૂચમાં શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમકુંડમાં વિસર્જન

પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાનો કરાશે નિકાલ

બેઇલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે

પૂજાપામાંથી ખાતર બનાવાશે

નગર સેવા સદન દ્વારા કામગીરી શરૂ કરાય

ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવાયેલ ત્રણ કુત્રિમ જળકુંડમાં વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનો દહેજની બેઇલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે તો સાથે જ પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવશે

ભરૂચમાં લોકમાતા નર્મદા મૈયાને પ્રદુષિત થતી અટકાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મકતમપૂર,જેબી મોદી અને ગાયત્રી કુંડ એમ ત્રણ કેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં શ્રીજીની 1844 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. માટીની પ્રતિમા તો કુત્રિમકુંડના પાણીમાં ઓગળી ગઈ હતી પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું પદ્ધતિસર વિસર્જન ન થતા અવદશાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે ભક્તોની લાગણી ન દુભાય એ હેતુથી આવી તમામ પ્રતિમાઓને દહેજની બેઇલ કંપનીમાં લઈ જવામાં આવી રહી છે અને ત્યાં તમામ પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત કુંડ નજીક એકત્રિત થયેલ પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગબગીચામાં ઉપયોગ કરવામાં આવશે
Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ઝઘડિયાના રાજપારડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

  • ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની ઉજવણી

  • રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સાંસદ મનસુખ વસાવા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ

  • કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી સ્થિતPWD ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું. સાથે જ અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાસંઘપ્રદેશ દમણ ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાઝઘડીયાનેત્રંગ અને વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોકાર્યકરો અને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.