ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં પડતું મૂકી આપઘાતનો 24 કલાકમાં બીજો બનાવ, યુવાનને બચાવી લેવાયો

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે પર નર્મદા મૈયા બ્રીજ ઉપરથી નદીમાં મોતની છલાંગના બનાવો ચિંતાનો વિષય બન્યો છે.ગતરોજ એક મહિલાએ નદીમાં બ્રીજ ઉપરથી પડતું મુક્યું હતું

New Update
  • ભરૂચના નર્મદા મૈયા બ્રિજનો બનાવ

  • યુવાને નદીમાં લગાવી મોતની છલાંગ

  • નાવિકોએ યુવાનનો જીવ બચાવ્યો

  • ગતરોજ મહિલાએ નદીમાં પડતું મૂક્યું હતું

  • હજી પણ મહિલા નદીમાં લાપતા

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રીજ ઉપરથી  નદીમાં છલાંગ લગાવી આપઘાત કરવાનો ૨૪ કલાકમાં બીજો બનાવ સામે આવ્યો છે.આજે બપોરે અજાણ્યા યુવાને નદીમાં મોતની છલાંગ લગાવી હતી જો કે નાવડી પાસે હોવાથી યુવાનનો બચાવ 
ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે પર નર્મદા મૈયા બ્રીજ ઉપરથી નદીમાં મોતની છલાંગના બનાવો ચિંતાનો વિષય બન્યો છે.ગતરોજ એક મહિલાએ નદીમાં બ્રીજ ઉપરથી પડતું મુક્યું હતું જે લાપત્તા બનેલ મહિલાની બપોરના સમયે શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન આશરે ૩:૧૫ કલાકે એક અજાણ્યા યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી
જો કે નદીમાં  યુવાન પડતા ત્યાં હાજર નાવિકોએ તેને બચાવી લીધો હતો.અને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાત કરવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી બ્રિજની બન્ને તરફ જાળી લગાવે એવી માંગ ઉઠી રહી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ ટ્રક અને સરકારી જીપ વચ્ચે અકસ્માત, જંબુસરના પ્રાંત અધિકારીનો ચમત્કારિક બચાવ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે

New Update
accident આમોદ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે અચાનક ટક્કર મારતા ઘટનાની તીવ્રતા વધી હતી. આ અકસ્માત દરમિયાન ગાંગુલી સાહેબનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક ચાલકે જીપને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેની વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો અને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નજીકના વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ઘટના સ્થળ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, જો જીપ થોડી સેકન્ડ પણ આગળ વધી ગઈ હોત, તો મોટો વિઘાટ સર્જાઈ શક્યો હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ ટળી છે.

Advertisment