ભરૂચ: RCC દ્વારા શેરી ગરબા સ્પર્ધાનું આયોજન,5 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

નવરાત્રીમાં લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવા આરસીસી ભરૂચ દ્વારા શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

New Update

નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી

RCC ભરૂચ દ્વારા આયોજન

શેરી ગરબા સ્પર્ધાનું આયોજન

5 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

શેરી ગરબાની પરંપરા મને જીવંત રાખવા પ્રયાસ

નવરાત્રીમાં લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવા આરસીસી ભરૂચ દ્વારા શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

આરસીસી ભરૂચ દ્વારા લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને  જાળવી રાખવાના પ્રયાસરૂપે છેલ્લા 4 વર્ષથી શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળામાં શેરી ગરબા સ્પર્ધા યોજાય હતી જેમાં 16 વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો.સ્પર્ધામાં નિર્ણાયક તરીકે RCCના સભ્ય  સ્મિતા સોની તથા ધ્રુમાલી દેસાઈએ સેવા આપી હતી. મુખ્ય નિર્ણાયક તરીકે ભરૂચનાં જાણીતા સંગીતજ્ઞ સુકેતુ ઠાકરે  સેવા આપી હતી. શેરી ગરબા હરીફાઈમાં આ વખતે ભરૂચ અને અંકલેશ્ર્વર ની 5 જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો છે. નવરાત્રિના પ્રથમ દિવસથી ભરૂચની વિવિધ સોસાયટી તથા શેરીઓમાં નિર્ણાયક જઇને ગરબાની કૃતિઓનું મૂલ્યાંકન કરશે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિજેતાઓને ફરતું શિલ્ડ,રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે.

Read the Next Article

ભરૂચ : નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાય…

ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગણેશચતુર્થી અને નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

New Update
National Sports Day

ભરૂચ જિલ્લામાં આગામી તા. 28થી 31 ઓગસ્ટ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તા. 28મી ઓગસ્ટના રોજ શાળા કક્ષાએ નેશનલ સ્પોર્ટ્સ ડે અંર્તગત નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા તેમજ ગણેશચતુર્થી નિમિત્તે શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા યોજાશેજ્યારે તા. 29 ઓગસ્ટના રોજ લુવારા સ્થિત એમીકસ ઈન્ટનેશલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશેતો તા. 30 ઓગસ્ટના રોજ શાળાઓમાં મેદાનને અનુરૂપ પરંપરાગત વિવિધ રમતોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

આ સાથે જ તા. 31 ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાંસન્ડે ઓન સાઈકલ’ રેલીનું પણ વિશેષ આયોજન હાથ ધરાયું છે. વહેલી સવારે 6.30 કલાકે કલેક્ટર કચેરીના પટાંગણથી સાયક્લોથોનનો મહાનુભાવોની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્ર્મની વિસ્તૃત માહિતી આપવા હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.