ભરૂચ :  બ્રહ્માકુમારી સંસ્થાનાના મુખ્ય પ્રકાશિકા માતા જગતબા માતેશ્વરીના સ્મૃતિ દિવસે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

ભરૂચના ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાનાના મુખ્ય પ્રકાશિકા  માતા જગતબા માતેશ્વરીના સ્મૃતિ દિવસે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

New Update
  • પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ઉજવણી

  • માતેશ્વરીના સ્મૃતિ દિવસની કરાઈ ઉજવણી

  • માતેશ્વરીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા 

  • કાર્યક્રમમાં 400થી વધુ ભાઈ બહેનો જોડાયા

  • આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું

ભરૂચના ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાનાના મુખ્ય પ્રકાશિકા  માતા જગતબા માતેશ્વરીના સ્મૃતિ દિવસે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

ભરૂચ ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 24 જૂને બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતા જગતબા માતેશ્વરીનો સ્મૃતિ દિવસ ઉજવવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા જૂન માસમાં આખો મહિનો સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતા જગતબા માતેશ્વરીના સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યોગ સાધના ભઠ્ઠી,વૃક્ષારોપણ,જળ બચાવો અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝાડેશ્વર ખાતે આવેલ  અનુભૂતિ ધામ ખાતે માતા જગતબા માતેશ્વરીના સ્મૃતિ દિવસની ઉજવણી પ્રસંગે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.જેમાં માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદીજીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઝાડેશ્વર સબ ઝોનના સમર્પિત ભાઈ બહેનો તથા ઝાડેશ્વર સબ ઝોનના બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા,અને માતેશ્વરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Latest Stories