ભરૂચ: વાલિયામાં તા.25 થી 31 ઓક્ટોબર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચના વાલિયા ખાતે કરાયુ આયોજન

  • ઓક્ટોબર માસમાં યોજાશે ભાગવત સપ્તાહ

  • કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

  • આયોજન સંદર્ભે બેઠક યોજાય

  • સપ્તાહ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે 

ભરૂચના વાલીયામાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના આયોજન સંદર્ભે શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે બેઠક મળી હતી
તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન સંદર્ભે ગ્રુપના જયદીપસિંહ ગોહિલ,નરપતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે મિટિંગ મળી હતી.જેમાં કાર્યક્રમના આયોજનને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ કથામાં જાણીતા કથાકાર રમેશ ઓઝા અમૃતનય વાણીમાં કથાનું રસપાન કરાવશે.જ્યારે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: આમોદની સમાચોકડી નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતા અકસ્માત, બાઈક સવાર મહિલાને ગંભીર ઇજા

આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી

New Update
amod accident
ભરૂચના દહેજથી જંબુસર તાલુકાના થણાવા ગામે જતો પરિવાર ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો, જયા આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા. ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પાછળ બેઠેલ મહિલા ભીખીબહેન ગોહિલના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.