ભરૂચ: તારીખ 12-13 ફેબ્રુઆરી દરમ્યાન શુકલતીર્થ ઉત્સવનું આયોજન,જીગ્નેશ કવિરાજ સહિતના કલાકારો આપશે હાજરી

તારીખ ૧૨ મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ શુક્લતીર્થ ખાતે આવેલા મેળાના મેદાનમાં રાત્રે ૮ કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે. પ્રથમ સંધ્યાએ આ કાર્યક્રમમાં વિવિધ કલાવૃંદો પોતાની સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિ રજૂ કરશે.

New Update
a

સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે સંભવિત આગામી ૧૨ અને ૧૩  ફેબ્રુઆરી ૨૦૨૫ એ એમ બે દિવસીય શુક્લતિર્થ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

તારીખ ૧૨ મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ શુક્લતીર્થ ખાતે આવેલા મેળાના મેદાનમાં રાત્રે ૮ કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે. પ્રથમ સંધ્યાએ આ કાર્યક્રમમાં વિવિધ કલાવૃંદો પોતાની સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિ રજૂ કરશે. જેમાં સિદી ધમાલ નૃત્ય, નવરંગ ગરબા ગૃપ પ્રાચિન ગરબો, રાધિકા આદિવાસી લોકનૃત્ય કલા મંડળ ચીંચલી આદિવાસી લોકનૃત્ય, પાવરી નૃત્ય, ત્વિષા વ્યાસ એન્ડ ગૃપ બારડોલી, શિવ તાંડવ નૃત્ય અને હિમાલીબેન વ્યાસ  અને ગૃપ સંગીત રજૂ કરશે.જ્યારે તારીખ ૧૩ મી ફેબ્રુઆરી ૨૦૨૫ની સંધ્યાએ આદિવાસી યાહામોગી નવયુવક લોકકલા ટ્રસ્ટ હોળી નૃત્ય, મોતાલી પ્રાથમિક શાળા,અંકલેશ્વર પ્રાચિન ગરબો, રાઠવા આદિવાસી જનજાતિ નૃત્ય મંડળ રાઠવા નૃત્ય, સાંઇ નૃત્ય એકેડમી નવદુર્ગા થીમ ડાન્સ, અને જીગ્નેશ કવિરાજ લોક ડાયરો રજૂ કરીને ઉત્સવને નવો આયામ આપશે.