ભરૂચ: SOG દ્વારા ભાડુઆત અંગેની નોંધણી નહીં કરાવનાર 20 મકાન-દુકાન માલિકો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરાયા

ભરૂચ પોલીસે જિલ્લામાં ભાડુઆત કરારની નોંધણી નહીં કરાવનાર 20 જેટલા મકાન માલિકો સામે બીએનએસની 223(બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી...।

New Update
SOG Bharuch
ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલકેટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડ્યા છે.ત્યારે ગણપતિ ઉત્સવમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભરૂચ એસ.ઓ.જીના પી.આઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મકાન અને દુકાન માલિકો પોલીસ સ્ટેશનમાં ભાડુઆત કરારની નોંધણી નહીં કરાવનાર માલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પોલીસે જિલ્લામાં ભાડુઆત કરારની નોંધણી નહીં કરાવનાર 20 જેટલા મકાન માલિકો સામે બીએનએસની 223(બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories