ભરૂચ: મનરેગા કૌભાંડમાં અત્યારસુધીમાં 30 લોકોના નિવેદન લેવાયા, એજન્સીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ

મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)એ બે દિવસમાં ૩૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે. SIT દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઇ છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • સીટ દ્વારા તપાસનો ધમધમાટ

  • અત્યારસુધી 30 લોકોના નિવેદન લેવાયા

  • એજન્સીઓના બેંક એકાઉન્ટની તપાસ

  • ડોક્યુમેન્ટસનું કરાશે એનાલીસીસ

ભરૂચ જિલ્લામાં બહાર આવેલા ચકચારી મંડળીના કૌભાંડમાં પોલીસની વિશેષ તપાસ ટીમ દ્વારા  અત્યાર સુધીમાં 30 જેટલા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે તો નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે
ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કથિત કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ હવે તેજ બની છે. ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)એ બે દિવસમાં ૩૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે.SIT દ્વારાશંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઇ છે કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાકટર, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના બેંક એકાઉન્ટની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સાથે જ GST વિભાગ પાસેથી સંબંધિત તમામ સ્ટેટમેન્ટ પણ માંગવામાં આવ્યા છેતાલુકા વિકાસ અધિકારીઓને તેડું મોકલાયું છે.ત્રણ તાલુકાના વિકાસ અધિકારીઓને SIT સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે. SIT ફરિયાદમાં ઉલ્લેખ થયેલા તમામ સ્થળોની પણ મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તબક્કે પંચકેસ કર્યા હતા.SIT આગળ પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરવા જઈ રહી છે. સાથે જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ડોક્યુમેન્ટ્સનું એનાલિસિસ પણ કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.