New Update
-
ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ
-
સીટ દ્વારા તપાસનો ધમધમાટ
-
અત્યારસુધી 30 લોકોના નિવેદન લેવાયા
-
એજન્સીઓના બેંક એકાઉન્ટની તપાસ
-
ડોક્યુમેન્ટસનું કરાશે એનાલીસીસ
ભરૂચ જિલ્લામાં બહાર આવેલા ચકચારી મંડળીના કૌભાંડમાં પોલીસની વિશેષ તપાસ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 30 જેટલા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે તો નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે
ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કથિત કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ હવે તેજ બની છે. ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)એ બે દિવસમાં ૩૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે.SIT દ્વારાશંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઇ છે કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાકટર, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના બેંક એકાઉન્ટની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સાથે જ GST વિભાગ પાસેથી સંબંધિત તમામ સ્ટેટમેન્ટ પણ માંગવામાં આવ્યા છેતાલુકા વિકાસ અધિકારીઓને તેડું મોકલાયું છે.ત્રણ તાલુકાના વિકાસ અધિકારીઓને SIT સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે. SIT ફરિયાદમાં ઉલ્લેખ થયેલા તમામ સ્થળોની પણ મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તબક્કે પંચકેસ કર્યા હતા.SIT આગળ પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરવા જઈ રહી છે. સાથે જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ડોક્યુમેન્ટ્સનું એનાલિસિસ પણ કરવામાં આવશે.