ભરૂચ: કમોસમી વરસાદમા રેલવે ગોદી વિસ્તારમાં પથરાયેલ મીઠું ધોવાયું, કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી !

કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં મીઠા પર તાડપત્રી ન પથરાતાં વરસાદમાં મીઠું પલળી ગયું હતું જેના કારણે વ્યાપક નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો

New Update
  • ભરૂચમાં કમોસમી વરસાદ

  • ખેતીના પાક સાથે મીઠા ઉદ્યોગને પણ નુકશાન

  • રેલવે ગોદીમાં પથરાયેલ મીઠું પણ ધોવાયું

  • કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી

  • મીઠાના અગરોમાં પણ નુકશાન

ભરૂચમાં વરસેલા કમાઉસની વરસાદના પગલે ખેતીના પાઠ સાથે મીઠા ઉદ્યોગને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે.ભરૂચના રેલવે ગોદી વિસ્તારમાં પાથરવામાં આવેલ મીઠું વરસાદમાં પલળી ગયું હતું ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ સામે આવી છે

ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદે ખેતીના પાકને તો વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે ધરતીપુત્રો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ મીઠા ઉદ્યોગને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ભરૂચના રેલવે ગોદી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મીઠાને  એક્સપોર્ટ કરવામાં આવે છે. ભરૂચના દહેજ સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં પકવાતા મીઠાને ટ્રેન મારફતે લઈ જવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ મીઠાને રેલવે ગોદી વિસ્તારમાં પાથરવામાં આવ્યું હતું.સરકાર દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં મીઠા પર તાડપત્રી ન પથરાતાં વરસાદમાં મીઠું પલળી ગયું હતું જેના કારણે વ્યાપક નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો છે.

આ અગાઉ પણ અનેકવાર આ રીતે જ રેલવે ગોદી વિસ્તારમાં મીઠું પલળી જવાની ઘટના બની હતી પરંતુ તકેદારી લેવામાં ન આવતા આ પ્રકારના દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે. આ તરફ તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં 110 જેટલા મીઠાના અગર ધોવાઈ ગયા છે, જેના પરિણામે આશરે 20 લાખ ટનથી વધુ મીઠાનો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો હોવાની ચિંતાજનક વિગતો બહાર આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.