ભરૂચ: નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સરકારી કચેરીઓની લીધી મુલાકાત

ભરૂચની નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી અને સરકારી કામગીરીથી માહિતગાર થયા હતા

New Update

ભરૂચમાં આવેલી છે નારાયણ વિદ્યાલય શાળા

શાળાના બાળકોએ સરકારી કચેરીની લીધી મુલાકાત

માહિતી કચેરીની પણ મુલાકાત લીધી

સરકારી કામગીરીથી માહિતગાર થયા

શાળા પરિવાર અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચની નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી અને સરકારી કામગીરીથી માહિતગાર થયા હતા
ભરૂચની નારાયણ વિદ્યાલય  શાળામાં  સપના કરો સાકાર  નામનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે.  જેને અનુલક્ષીને આજરોજ નારાયણ વિદ્યાલયના ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ  જિલ્લા માહિતિ કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બાગાયત વિભાગ અને કે.જે. ચોક્સી લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત થકી સરકારી કચેરીઓમાં થતી કામગીરીની વિસ્તૃત વિગતો તેમણે મેળવી હતી. આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓને માહિતી કચેરી દ્નારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપવામાં હતી.આ તબક્કે ગુજરાત સરકારનું મુખપૃષ્ઠ સમું પુસ્તક “ગુજરાત પાક્ષિક”, ગુજરાતની લોકકળાઓ અને સંસ્કૃતિ અને તેના જેવા અન્ય માહિતી ખાતા દ્નારા પ્રકાશિત  માહિતીસભર પુસ્તકોનું  વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સંત નિરંકારી મિશન દ્વારા આયોજન

  • ઝોનલ બાળ સમાગમ યોજાયું

  • બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા
ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણ છાબડાજીના હસ્તે બાલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળા પ્રદર્શિત કરવામાં આવી હતી.બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી.