ભરૂચ : BAPS મંદિર ખાતે ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલ દ્વારા રાજ્ય સ્તરની સફળ સેફટી કોન્ફરન્સ યોજાઇ

ભરૂચમાં રવિવારે ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલ દ્વારા બાપ્સ મંદિર ખાતે રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • બાપ્સ મંદિર ખાતે સેફટી કોન્ફરન્સ યોજાઈ

  • ગ્લોબલ એચ.એસ.ઈ.કાઉન્સિલ દ્વારા કરાયું આયોજન

  • સુરક્ષા,સ્વાસ્થ્ય અને પર્યાવરણીય સંરક્ષણના પર મુકાયો ભાર

  • સુરક્ષા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે થયો સુરક્ષા સંવાદ

  • મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ રહ્યા ઉપસ્થિત

Advertisment

ભરૂચમાં રવિવારે ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલ દ્વારા બાપ્સ મંદિર ખાતે રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના 900 કરતા વધુ સલામતી અધિકારીઓએ ભાગ લીધો અને સલામતી સંવાદ યોજ્યો હતો.

ભરૂચમાં બાપ્સ મંદિર ખાતે ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલ દ્વારા રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યના ઉદ્યોગોમાં સલામતીને વધુ અસરકારક અને દોષરહિત બનાવવા માટેના પગલાં અને તેના પર સંવાદ અને ચર્ચા કરવામાં આવી હતી. ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલે 2019 પછી પ્રથમ રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતુંજેમાં વિવિધ ઉદ્યોગોના સલામતી અધિકારીઓને સલામતી અને ટકાઉ વિકાસ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.

કોન્ફરન્સમાં ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલના ચેરમેન એલ.કે.ડુંગરાણી એ સ્વાગત પ્રવચન કરતા કાઉન્સિલના હેતુ દ્રષ્ટિકોણ અને મિશન વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ આઇપીએસનાં સેક્રેટરી મનસુખ વેકરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગોમાં સલામતી અધિકારીઓની એકતા દ્વારા સલામતી-કેન્દ્રિત ચર્ચાઓ અને કાર્ય જરૂરી છે. આ એકતા દ્વારાઆપણે ઘટનાઓ ઘટાડવા માટે સલામતી અધિકારીઓના જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ.

જ્યારે નિવૃત્ત રાજ્ય નિયામક બી.એન.મહેતાએ તેમના વક્તવ્યમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ઉપસ્થિત તજજ્ઞનો દ્વારા પોતાના અનુભવ જણાવીને તેમજ સુરક્ષા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment