New Update
/connect-gujarat/media/media_files/2025/10/28/acsdsss-2025-10-28-17-25-58.png)
ભરૂચ ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાને કોર્ટમાંથી જામીન મળ્યા છે.
વર્ષ 2015માં ભાજપના બંને આગેવાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યુનુસ માંજરાએ હત્યા માટે બન્ને નેતાઓના નામ સૂચવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ 2015માં 2 નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ પર આવેલ સુર્યા પ્રિન્ટીંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરિત જાવીદ ચીકનાએ હિંદુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. ભરૂચમાંથી ચાર હિંદુ નેતાઓના નામ નક્કી કરવામા આવ્યાં બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલાં અંધારી આલમના મોડયુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી જેમાં એનાઈએ દ્વારા 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જે પૈકી યુનુસ માંજરાના શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે.
Latest Stories





































