ભરૂચ : બંબુસર ગામે હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા-આલમ શાહ બાવાની દરગાહ ખાતે 29માં સંદલ શરીફની શાનદાર ઉજવણી કરાય...

ભરૂચ તાલુકાના બંબુસર ખાતે હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ખાતે 29મા સંદલ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • બંબુસરમાં સંદલ શરીફની શાનદાર ઉજવણી કરાય

  • 29મા સંદલ શરીફની ઉજવણીમાં જનમેદની ઉમટી

  • મુસ્લિમ બિરાદરો દ્વારા દુઆઓ ગુજારવામાં આવી

  • સંદલ શરીફ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • દરગાહ કમિટીના સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતી

ભરૂચ તાલુકાના બંબુસર ખાતે હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ખાતે 29મા સંદલ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલી સુપ્રસિદ્ધ હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ઉપર શ્રધ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સૈયદ જહીર બાપુ અને સૈયદ ઈમરાન બાપુ તેમજ બંબુસરના ઇમામ સાહેબ અને મૌલાનાની હાજરીમાં સંદલ શરીફની ઉજવણી કરાય હતી. સંદલ શરીફની વિધિ બાદ સલાતુ સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા તેમજ હજરત આલમ શાહ બાવાની મજાર પર અનુયાયીયોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. સમગ્ર સંદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.