ભરૂચ: મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેર બનશે હરિયાળુ, વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ !

ભરૂચ નગર સેવા સદન દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રારંભ કરાયો

  • વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ

  • શહેરને વધુ હરિયાળુ બનાવવા કરાશે પ્રયત્નો

  • મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરાશે

  • વૃક્ષના જતનની જવાબદારી સોંપાશે

ભરૂચ નગર સેવા સદન દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે
ભારત સરકારના "એક પેડ માં કે નામ" અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઈવલિહુડ મિશન અંતર્ગત 'વુમન ફોર ટ્રી' કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ  વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યો હતો.આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે. મહિલા મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપાણ અને તેના જતન માટે જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે.આ પ્રસંગે ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.