ભરૂચ: મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેર બનશે હરિયાળુ, વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ !

ભરૂચ નગર સેવા સદન દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રારંભ કરાયો

  • વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ

  • શહેરને વધુ હરિયાળુ બનાવવા કરાશે પ્રયત્નો

  • મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરાશે

  • વૃક્ષના જતનની જવાબદારી સોંપાશે

Advertisment
ભરૂચ નગર સેવા સદન દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે
ભારત સરકારના "એક પેડ માં કે નામ" અભિયાન હેઠળ ગુજરાતમાં અમૃત મિશન તથા નેશનલ અર્બન લાઈવલિહુડ મિશન અંતર્ગત 'વુમન ફોર ટ્રી' કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ  વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યો હતો.આ યોજનાનો હેતુ શહેરોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો તથા મહિલાઓના સક્રિય સહભાગીદારી દ્વારા શહેરને હરિયાળું બનાવવાનો છે. મહિલા મંડળોને એકત્રિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોનું રોપાણ અને તેના જતન માટે જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે.આ પ્રસંગે ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના જૂની તરસાલી ગામે નર્મદા નદીમાં પલક ઝપકતા જ મગરે કર્યો શ્વાનનો શિકાર, વિડીયો થયો વાયરલ

ભરૂચના ઝઘડિયાના જૂને તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

New Update
mgr ncue

ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાં મગરનો વસવાટ જોવા મળે છે ત્યારે મગરના આતંકનો વિડીયો સામે આવ્યો છે.

Advertisment

ભરૂચના ઝઘડિયાના જૂને તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જૂની તરસાલી ગામે નર્મદા નદી કિનારે બે શ્વાન રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ નદીમાંથી આવી ચઢેલ મગર બે પૈકી એક શ્વાનને અંદર ખેંચી ગયું હતું અને શિકાર કર્યો હતો.આ ઘટનાના પગલે ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.આ અગાઉ પણ ઝઘડિયા પંથકમાં અનેક વાર મગરના હુમલાના બનાવો સામે આવ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.