લોક અદાલતના માધ્યમથી લોકોના કેસમાં ઝડપી નિરાકરણ
વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન રહ્યા ખાસ ઉપસ્થિત
સમાધાન લાયક 15 હજારથી વધુ ફોજદારી કેસને રજૂ કરાયા
લોક અદાલતમાં અરજદારોના કેસનું સુખદ નિરાકરણ લવાયું
ભરૂચ જિલ્લાની જનતા માટે લોક અદાલતના માધ્યમથી પોતાના કેસમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક સમી આયોજિત લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ લોક અદાલતમાં નાગરીકો લગ્નવિષયક કેસ, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવા, જમીન સંપાદન, મોટર અકસ્માતમાં વળતરના કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, વીજળી સંબંધિત કેસ સહિત માત્ર દંડ પાત્ર સમાધાન લાયક ફોજદારી કેસો મળી કુલ 15 હજારથી વધુ કેસ સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી લોક અદાલતમાં અરજદારોના કેસમાં સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.