ભરૂચ : પતંગ બનાવતા પતંગવાલા પેઢીની સફર પૂર્ણતાના આરે, જુઓ નવી પેઢીને કેમ વ્યવસાયમાં રસ નથી..!

ભરૂચમાં પતંગ બનાવતો એક માત્ર પતંગવાલા પરિવાર છે. તેઓ ઉત્તરાયણના 2 મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

New Update
  • શહેરમાં પતંગ બનાવવાનો એકમાત્ર વ્યવસાય કરતો પરિવાર

  • પતંગવાલા પરિવારની ઉત્તરાયણના 2 મહિના પહેલા કામગીરી

  • હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં કરે છે વેંચાણ

  • આધુનિક યુગની પેઢીને પતંગ બનાવાના વ્યવસાયમાં રસ નથી

  • મોંઘવારીના કારણે પતંગના વ્યવસાયનું ભવિષ્ય પુર્ણતાને આરે

ભરૂચમાં પતંગ બનાવતો એક માત્ર પતંગવાલા પરિવાર છે. તેઓ ઉત્તરાયણના 2 મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકેતેમના બાદ પેઢીના કોઈપણ વ્યક્તિને પતંગ બનાવવાના વ્યવસાયમાં રસ ન હોયજેથી આ વ્યવસાયનું ભવિષ્ય પુર્ણતાને આરે આવ્યું છે.

ભરૂચમાં 19મી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી પૂર્ણતાના આરે આવી છે. ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ ગયા છેત્યારે બજારમાં પતંગદોરાફીરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદી ખીલી રહી છે. પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે. મોટી બજાર વિસ્તારમાં આવેલા ઘોષવાડમાં રહેતા ગુલામ મહંમદ શેખનો પરિવાર શહેરભરમાં પતંગવાલા તરીકે પ્રખ્યાત છે. તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય 19મી સદી એટલે કે200 વર્ષ જૂનો છે. જોકેહાલ મોઘવારીના આ જમાનામાં તમામ ચીજવસ્તુઓ મોંઘી બનતા પતંગવાલા પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. હાથ બનાવટથી બનતી પતંગોનો તમામ સામાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે. ઉત્તરાયણના 2 મહિના અગાઉથી જ શેખ પરિવારના સભ્યો પતંગ બનાવવાનું કામ શરૂ કરી દે છે. જોકેઆજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત હોવાથી રસ રહ્યો નથી. તો બીજી તરફપતંગ બનાવવાના કાચા સામાનમાં ચાર ગણો ભાવ વધારો થયો છે. હાલ તો તમામ વસ્તુ રેડીમેડ મળી રહે છેપણ જ્યારે 19મી સદીમાં વાસ શોધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતાત્યારે ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર 40 હજાર પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતો હતો. આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે. જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.