ભરૂચ: APMC માર્કેટમાં ગંદકીએ માઝા મુકતા કિસાન વિકાસ સંઘે ઉચ્ચારી આંદોલનની ચીમકી !

ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકીના કારણે વેપારીઓ અને ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સાફ સફાઈની માંગ સાથે કિસાન વિકાસ સંઘે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

New Update

ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકીના કારણે વેપારીઓ અને ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સાફ સફાઈની માંગ સાથે કિસાન વિકાસ સંઘે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

ભરૂચના મહંમદપુરા  રોડ પર આવેલ એ.પી.એમ.સી. શાકભાજી માર્કેટની કિસાન વિમાસ સંઘના સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારે શાકભાજી માર્કેટના ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ શાકભાજી માર્કેટમાં  400થી વધુ વેપારીઓની દુકાનો આવેલી છે જ્યાંથી હજારો કિલો  કચરો નીકળે છે આ કચરાનો નિકાલ કરવાની જવાબદારી ભરૂચ  એપીએમસીની  અને ભરૂચ નગરપાલિકાની છે પરંતુ આ બંને સંસ્થાઓ આ કચરાનો નિકાલ ન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.હાલમાં ચોમાસાની સીઝનમાં કચરો કોહવાઈ જવાના કારણે ભારે દુર્ગંધ પણ આવે છે ત્યારે  શાકભાજી માર્કેટમાં આવેલ ધન કચરાનો નિકાલ 10 દિવસમાં નહીં કરવામાં આવે તો કિસાન વિકાસ સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

New Update
Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.