ભરૂચ: જિલ્લા તેમજ તાલુકા ન્યાયાલય ખાતે વર્ષની અંતિમ લોક અદાલત યોજાઈ

પેન્ડિંગ 11 હજાર કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વિગેરેના 12 હજાર તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ-મેમોના 3 હજારથી વધુ મળી કુલ 26 હજારથી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા

New Update
  • જિલ્લાની ન્યાયાલયોમાં લોક અદાલત યોજાઈ

  • વર્ષની અંતિમ લોક અદાલતનું કરાયું આયોજન

  • પેન્ડિંગ સહિત વિવિધ કેસોના નિકાલનો કરાયો પ્રયત્ન

  • 26 હજારથી વધુ કેસ મુકવામાં આવ્યા

  • બંને પક્ષકારોના હિતમાં લેવામાં આવે છે નિર્ણય

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા ન્યાયાલય  ખાતે વર્ષ 2024ની અંતિમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેન્ડિંગ 11 હજાર કેસ ઉપરાંત બેંકવીજ કંપની વિગેરેના 12 હજાર તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ-મેમોના 3 હજારથી વધુ મળી કુલ 26 હજારથી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં સમાધાનથી નિકાલ થતો હોવાનું  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારીએ  જણાવ્યું હતું.

વર્ષ દરમિયાન લોક અદાલતના માધ્યમથી 40 હજારથી વધુ કેસનો નિકાલ કરવામાં આવતા અદાલતો પરના ભારણમાં પણ ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.આ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ,વિવિધ અદાલતોના ન્યાયધીશો,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારી સહિત વકીલ મિત્રો ,કોર્ટ સ્ટાફ,પદાધિકારીઓ અને પક્ષકારો  ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.